SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ કાયોત્સર્ગ - વૈજ્ઞાનિક અભિગમ ક્રિયાઓ કરતી વખતે કાઉસ્સગ્ગ કરે છે. જૈન સાધુઓને તો વખતોવખત કાઉસ્સગ્ગ કરવાનો હોય છે. આ છે જૈનોમાં પ્રચલિત રીતે થતા કાઉસ્સગ્ગની વાત. ૧૩૩ વાસ્તવિકતામાં કાયોત્સર્ગ- કાઉસ્સગ્ગ બહુ જ ગહન અને સૂક્ષ્મ ક્રિયા છે. એ દરમિયાન જીવનો ઉપયોગ કે મનનાં પરિણામ વિવિધ સ્તરોને સ્પર્શે છે અને ઘણી વસ્તુઓ હાંસલ કરે છે. વર્તમાનમાં કેટલાક ચિંતકોએ અને ધર્મપુરુષોએ કાયોત્સર્ગને વિવિધ સ્વરૂપે રજૂ કર્યો છે જે શારીરિક રીતે સ્વસૂચનથી સધાતા શબાસનની વધારે સમકક્ષ રહે છે. એમાં કાયોત્સર્ગ બેઠા બેઠા થઈ શકે છે, ઊભા ઊભા થઈ શકે છે અને સૂતાં સૂતાં પણ થઈ શકે છે. એમાં શરીરના શિથિલીકરણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. આ દરમિયાન કાયોત્સર્ગ કરાવનાર પ્રશિક્ષક વખતોવખત રિલેક્સ – રિલેક્સ; શિથિલ - શિથિલ એમ સૂચનો આપતા રહે છે અને આપણે તેનો સ્વીકાર કરીને સહકાર આપવાનો રહે છે. જો 'પણે જાતે જ કાયોત્સર્ગ કરતા હોઈએ તો આપણે પોતે જ ૨ાપણા અંતઃમનને રિલેક્સ થવાનાં સૂચનો આપતાં રહેવાનાં રહે છે અને આપણા શરીરનાં વિવિધ અંગઉપાંગો તેમ જ સ્નાયુઓ માંસપેશીઓ અને કોશિકાઓને શિથિલ કરતા જવાનું હોય છે. શરૂમાં આપણને તેની ખાસ અસર ન વરતાય પણ ધીમે ધીમે આપણું શરીર આપણાં સૂચનો સ્વીકારતું જાય છે અને થોડાક દિવસોમાં તો આપણે શિથિલતાની અનુભૂતિ કરી શકીએ છીએ. આમ આ ક્રિયાને મનોવિજ્ઞાનનો પણ સહયોગ મળી રહે છે.
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy