SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ જૈન ધર્મમાં પંચાચારનું ખૂબ મહત્ત્વ છે. પંચાચાર એટલે પાંચ પ્રકારના આચાર. આ પંચાચારનું સ્વરૂપ જ એવું છે કે ભાવપૂર્વક પંચાચારની આરાધના કરનાર મોડો-વહેલો ભવભ્રમણમાંથી બહાર નીકળી જાય, અને આત્માના પરમ ઐશ્વર્યને, પરમ સંપદાને પામે. જૈન ધર્મમાં મોક્ષ એટલે આત્માનું પરમાત્મામાં ભળી જવું એવી વાત નથી, કે પછી દીપની જેમ બુઝાઈ જઈ શૂન્યમાં પરિણમવાની વાત નથી. જૈન ધર્મના મત પ્રમાણે દરેક આત્મા અલગ અસ્તિત્વ ધરાવે છે અને દરેકમાં પરમાત્મા થવાની ક્ષમતા છે. મોક્ષમાં પણ અનંત આત્માઓ, પરમાત્મપદમાં સ્થિત થયેલા હોય છે. જૈન ધર્મના મત પ્રમાણે, મોક્ષ એ કંઈ લૂખો-સૂકો નથી. આત્માની મોક્ષ અવસ્થા એટલે કે જ્યાં આત્માનું ઐશ્વર્ય પૂર્ણરૂપે પ્રગટ થયેલું હોય, આત્માનું ઐશ્વર્ય એટલે અંનત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત આનંદ. આત્માના પોતાના જ આ ગુણો છે. આત્માનો પોતાનો જ આ સ્વભાવ છે. આત્માએ આ ગુણો બહારથી મેળવવાના નથી પણ પોતાની અંદર પડેલા છે તેને પ્રગટાવવાના છે. આત્માના આ ગુણો દબાઈ ગયેલા છે અને આત્માના સ્વભાવ આડે આવરણો આવી ગયાં છે. મનુષ્યભવનું તો શું પણ અનંત
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy