SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વન વિશેષ - ગુણપ્રાપ્તિ પ્રતિ ૧૦૫ પરમાત્માને એનો એ જ પ્રશ્ન પૂછે જેના ઉત્તરમાં ભગવાન કહે: “ધૂવે ઈ વા.” ધ્રુવ છે – નિત્ય છે એ તત્ત્વ છે. જૈન ધર્મની આ ત્રિપદી છે. ગણધર ભગવંતો આ ત્રિપદીમાંથી ધર્મનાં સઘળાં રહસ્યો સમજી જાય છે અને તેના ઉપરથી શાસ્ત્રોની રચના કરે છે. સર્વ શાસ્ત્રો ત્રિપદીનો વિસ્તાર છે. તીર્થંકર પરમાત્મા આ ત્રણ જ પદમાં પરમતત્ત્વનું રહસ્ય સમજાવી દે છે. આ ત્રણ પદમાં ધર્મ તો શું પણ સકળ વિશ્વનું રહસ્ય સમાયેલું છે. ગણધર ભગવંતોનું ઉપાદાન ખૂબ તૈયાર હોય છે; તેમની પાત્રતા કેળવાયેલી હોય છે તેથી તેઓ આ ત્રણ બિંદુમાં સાગર જોઈ શકે છે અને શાસ્ત્રોની રચના કરી લે છે. આ ત્રણ બાબતો શું છે? ઉત્પન્ન થાય છે. નાશ પામે છે. ધ્રુવ-શાશ્વત છે. આ શેની વાત છે? જીવ અને જડની આ વાત છે જેની રમત આખો સંસાર છે. ભગવાને પ્રથમ પદમાં કહ્યું કે ઉત્પન્ન થાય, પણ તેનાથી વસ્તુનું સમાધાન ન મળતાં શિષ્ય ફરીથી પૂછે છે તો બીજા પદમાં ભગવાન કહે છે કે નાશ પામે છે – વિસર્જન થાય છે. પણ તેનાથીય વાતનું સમાધાન ન મળતાં શિષ્ય ત્રીજી વાર પૂછે છે કે ભગવાન તત્વ શું છે? ત્રીજા પદમાં ભગવાન કહે છે કે નિત્ય છે - શાશ્વત છે. શ્રેષ્ઠ ઉપાદાનવાળા શિષ્યના મનમાં ઝબકારો થાય છે અને તે સઘળી વાતનો સાર પામી જાય છે. આત્મદ્રવ્ય નિત્ય છે, શાશ્વત છે પણ તેના વિવિધ પર્યાયો (સ્વરૂપો) ઉત્પન્ન થાય છે. આત્મા ધ્રુવ તત્ત્વ છે પણ તેના પર્યાયો નાશ પામે છે. ઉત્પત્તિ અને વિનાશ, સર્જન અને વિસર્જન બ્રહ્માંડમાં સતત થતું રહે છે પણ સત્ય એનું એ જ રહે છે. સત્ય
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy