SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રત વિશેષ - ગુણપ્રાપ્તિ પ્રતિ ૧૦૧ પીડા આપીએ તે હિંસા જ છે. આપણે વાણીથી, વર્તનથી અન્યને દુઃખ આપીને ઘણી હિંસા કરીએ છીએ. હઠ પણ હિંસાના પ્રકારમાં આવી જાય. આગ્રહ - અતિઆગ્રહમાં પણ હિંસા રહેલી છે. કોઈનું અપમાન, અવહેલના, કૂર રીતે થયેલી મજાક પણ હિંસાના પ્રકારો છે. સ્થળ હિંસા સમાજમાં નોંધપાત્ર ઠરે છે. તેનાથી આપણે દૂર રહીએ છીએ પણ સૂક્ષ્મ રીતે થતી ભાવહિંસાની તો આપણે દરકાર રાખતા નથી. આપણી અંદરનો ભાવ, હિંસાથી ભરાયેલો હોય તો આપણાં વાણી-વર્તનમાં હિંસા ઊતર્યા વિના રહે જ નહિ. જો આપણે ખરેખર હિંસાથી બચવું હોય તો અંદર રહેલા હિંસાના ભાવને દૂર કરવો પડશે. એ મૂળ ઉપચાર છે. હિંસાના મૂળમાં આપણો અહમ્ છે, અહંકાર છે. આપણે ફક્ત આપણા જીવનની સગવડો, સફળતાઓ, સ્વમાન વગેરેની હંમેશાં ચિંતા કરીએ છીએ અને તે મેળવવા કે સાચવવા બીજા કોઈની સ્થળ કે સૂક્ષ્મ રીતે હિંસા કરતાં લવલેશ અચકાતા નથી. પરિવાર, કોમ, સંપ્રદાય, સમાજ, ઘર, ગામ, દેશ એ પણ મોટે “ માગે આપણા અહંકારનો જ વિસ્તાર હોય છે. અહિંસાનો ભાવ આપણામાં હોય તો આપણે એ બધાને સાચવીએ અને તેમની સેવા કરવામાં આપણને આનંદ આવે, પણ ખરેખર તો આપણા અહંકારને પોષવા માટે આપણે બધા સામાજિક સંબંધોનો વિસ્તાર કર્યો હોય છે. વાસ્તવિકતામાં આપણે અહંકરી કે અહંના એક કોચલામાં કેન્દ્રિત થઈને જીવીએ છીએ. અન્ય કોઈના વ્યક્તિત્વ કે અસ્તિત્વને આપણે ભાગ્યે જ સાંખી શકીએ છીએ, ત્યાં તેના સ્વીકારની તો વાત જ કયાં રહી? આપણી સારી કે ખોટી બધી
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy