SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦. જૈન આચાર મીમાંસા જાય તે માટે જાગ્રત રહેવાનું છે. પ્રતિક્રમણથી, અંદર ભરાયેલું પાણી-કર્મ-સંસ્કાર ઇત્યાદિ ઉલેચ્યું પણ તેને ફરીથી ભરાવાનો માર્ગ મોકળો હશે, જો તે બંધ નહીં કર્યો હોય તો આપણે ઠેરના ઠેર 'જ રહેવાના. આપણે સાધ્યને સિદ્ધ કરવા માટે બે બાજુથી હુમલો કરવાનો છે. અતીતનું પ્રતિક્રમણ અને ભાવિનું પચ્ચખાણ. આ બધું કરવા માટે વર્તમાનમાં સંવર. આ છે સાધનાનાં રહસ્યો. અતીતમાં કરેલું - વિચારેલું, આજે જાગી જતાં, સમ્યમ્ દર્શનની પ્રાપ્તિ થતાં ખોટું લાગ્યું અને તેને વિફલ કરવા પ્રતિક્રમણ કર્યું પણ તે બધું ભાવિમાં આપણે ફરી ન કરીએ તે માટે પચ્ચખાણ કે પ્રતિજ્ઞા. એવી પ્રતિજ્ઞા કે ભવિષ્યમાં હું આ દોષોનું ફરીથી સેવન નહીં કરું. જે દોષોનું સેવન ન કર્યું હોય, તેવા દોષોનું પણ પચ્ચકખાણ લઈ શકાય. પચ્ચકખાણ એ પાળ છે – મર્યાદા છે. જે જીવનને વેડફાતું – વહી જતું રોકી લે છે. જેના જીવનમાં કંઈ મર્યાદા નથી તે સ્વચ્છંદી બની જાય છે. અને તેનો ઉત્તરોત્તર વિનિપાત થાય છે. જે સરોવરને પાળ નથી હોતી તેમાં ક્યારેય પાણી ટકતું નથી અને તે ખાલી ને ખાલી જ રહે છે. આપણી સાધનાને સબળ બનાવવા આપણી દિનચર્યામાં વ્રતોની પાળ બાંધવાની છે અને તેનું પાલન કરવા માટે દઢ મનથી નિર્ધાર કરવાનો છે - પચ્ચખાણ લેવાનાં છે. ગમે તે ઉપસર્ગ - અડચણ આવે પણ પચ્ચખાણ પાળવાનાં જ હોય છતાંય તેના માટે કેટલાક આચારો - અપવાદો મુનિ ભગવંતોએ સૂચવ્યા છે જેથી સાધક માટે તે સહ્ય અને વ્યવહારુ બને. આચારો એ અપવાદો છે. તેનું સેવન કરવાનો વિચાર પણ પચ્ચખાણ લેતાં
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy