SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ . અધ્યાત્મમત પરીક્ષા ....... ગાથા - ૧૩૩ થી ૧૪૧ સિદ્ધાંતપક્ષીના આ કથનના સમાધાનરૂપે સંપ્રદાયપક્ષી “તથfપથી કહે છે - ટીકાર્થઃ- “તથાપિ' તો પણ = ચારિત્રમોહનીયના ક્ષયનું ફળ ચારિત્રની પરમવિશુદ્ધિ માનીએ તો પણ, ક્ષાયિક છતાં અવિનાશિત્વની વ્યાપ્તિ જ બલવાન છે. માટે ક્ષાયિક એવું ચારિત્ર ૧૩મા ગુણસ્થાનકે પરમવિશુદ્ધિને પ્રાપ્ત કરીને નાશ પામે છે તેમ કહી શકાય નહિ. માટે સિદ્ધમાં ચારિત્ર છે એમ સંપ્રદાયપક્ષીનું કહેવું છે. સ્વકથનની જ પુષ્ટિ કરતાં સંપ્રદાયપક્ષી કહે છે - “ર વાપેક્ષર - અપેક્ષકના નાશથી અપેક્ષ્યનો નાશ પણ થાય છે એમ ન કહેવું, અન્યથા શરીરના નાશથી જ્ઞાનાદિના નાશનો પ્રસંગ પ્રાપ્ત થશે. પરંતુ અસાધારણ અપેક્ષકના નાશથી અપેક્ષ્યનો નાશ થાય છે, અને યોગ એ ચારિત્રનો અસાધારણ અપેક્ષક નથી, પરંતુ મોહક્ષય અસાધારણ અપેક્ષક છે; અને તેનો =મોહક્ષયનો, પુનઃક્ષયનો અયોગ છે તેથી, ચારિત્રનો નાશ થતો ન હોવાથી) સિદ્ધભગવંતોને અક્ષય ચારિત્ર છે; એ પ્રમાણે સર્વ અવદાત છે. ભાવાર્થ - ઉપયોગરૂપ ચારિત્ર યોગસાપેક્ષ છે તેથી અપેક્ષક એવા યોગનો નાશ થવાથી યોગથી અપેક્ષ્ય એવા ઉપયોગરૂપ ચારિત્રનો નાશ થાય છે તેમ કહી શકાય નહિ, અન્યથા = એમ ન માનીએ અને અપેક્ષકના નાશથી અપેક્ષ્યનો નાશ સ્વીકારીએ તો, કેવલજ્ઞાન પ્રાપ્ત થવામાં શરીરની અપેક્ષા છે તેથી અપેક્ષક એવા શરીરના નાશથી જ્ઞાનાદિના નાશનો પ્રસંગ પ્રાપ્ત થાય. (અહીં “આદિ' પદથી દર્શનના નાશનો પ્રસંગ પ્રાપ્ત થાય, તે ગ્રહણ કરવાનો છે). અને નિમિત્તરૂપ અપેક્ષકના નાશથી અપેક્ષ્યનો નાશ થતો નથી, પરંતુ ચારિત્રમાં અસાધારણ અપેક્ષક ચારિત્રમોહનો ક્ષય છે તેના નાશથી અપેક્ષ્ય એવા ક્ષાયિક ચારિત્રનો નાશ થઈ શકે. કેમ કે અસાધારણ અપેક્ષકનો નાશ જ અપેક્ષ્યના નાશ પ્રત્યે હેતુ છે, અને ચારિત્ર પ્રત્યે અસાધારણ અપેક્ષક ચારિત્રમોહનીયનો ક્ષય જ છે, અને યોગ એ નિમિત્તરૂપે અપેક્ષક છે, અને ચારિત્રમોહક્ષયનો પુનઃક્ષય થતો નથી. તેથી ચારિત્રનો નાશ થતો ન હોવાથી સિદ્ધોને અક્ષયચારિત્ર હોવું સિદ્ધ થાય છે. ટીકા - ચાત-રાત્રિ યશુપયોગ: ચાત્ર તર્દિાનાતિરિત્રેત, ન શુદ્ધ શુદ્ધવ્યવસ્થવ તી ज्ञानादतिरेकः, शुद्धाशुद्धव्यवस्थाया अपि तत्रैव विश्रान्तेरिति चेत्? न, ज्ञानचारित्रयोरुपयोगरूपत्वे कार्यकारणभावविभागादेव भेदात्। यथा हि सम्यक्त्वज्ञानयोविषयाभेदेऽपि तत्त्वरुचिरूपं सम्यक्त्वं ज्ञानेन जन्यते, तत्त्वरोचकरूपं ज्ञानं च तज्जनयतीत्यनयोर्भेदः, तथोपयोगत्वाऽविशेषेऽप्यविशिष्टं જ્ઞાન-વિશિષ્ઠ વારિત્ર કયતિ-“અન્ની લિં વાદી, વિ વા નાહી છે પાવ " રૂક્તિ वचनादज्ञानिनस्तत्रानधिकारात्, प्रकृष्यमाणं तु चारित्रं प्रकृष्टज्ञानं जनयतीत्यनयोर्भेद इति। : ‘ ત વિશ્રાિિત વે' સુધીનું કથન ગાથા - ૧૪૧ની અવતરણિકારૂપ છે. ટીકાર્થ:- “કેત પૂર્વમાં સિદ્ધ કર્યું કે ચારિત્ર શુદ્ધોપયોગરૂપ છે અને શુદ્ધોપયોગરૂપ ચારિત્ર સિદ્ધમાં છે એમ સંપ્રદાયપક્ષી કહે છે. હવે “ચાતથી સંપ્રદાયપક્ષી કહે છે કે અહીં સિદ્ધાંતપક્ષી આ પ્રમાણે કહે કે – “વારિત્ર- જો ચારિત્ર ઉપયોગરૂપ હોય તો જ્ઞાનથી પૃથફ નથી.
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy