SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦. . અધ્યાત્મમતપરી ગાથા - ૮૮-૮૯ પૂર્વપક્ષી કહે કે સુધાદિ દેવત્વવ્યવહારના પ્રતિપંથી દોષ તો છે ને? તેથી કહે છે- વળી ક્ષુધાદિનું દેવત્વવ્યવહારમતિપંથીદોષપણું ગાથા - ૭૪માં નિરાકૃત જ કરેલ છે. ‘૩થ' થી પૂર્વપક્ષી કહે છે કે લૌકિકો પણ સુધાદિથી પીડિત દેવને માનતા નથી, અને સુધાથી પ્રકૃષ્ટ અન્ય પીડા નથી, (કહ્યું છે ) ક્ષુધા સમાન વેદના નથી. તેને ગ્રંથકાર કહે છે- ખેદની વાત છે કે તો પછી કેવલ લોકની અનુવૃત્તિને અનુસરનારા તમે તેના કેવલીના, મનુષ્યપણાનો કેમ અપલાપ કરતા નથી? (‘મિતિ" માત્' અર્થમાં છે.) જે કારણથી લૌકિકો સ્વયંભૂ, નિત્ય જ્ઞાન-ઇચ્છા-પ્રયત્નવાળા, લોકોત્તર ચરિત્રવાળા ભવને=શિવને, ભગવાન માને છે. તિ' શબ્દ લૌકિકો શિવને ભગવાન માને છે તે કહ્યું, તે કથનની સમાપ્તિસૂચક છે. ટીકા - સનમસ્ક્વનિર્વવનાનોત્થાતુમતિપત્તિમથ્યતિત્વાવયાતિનુવંતીપુર્નામોષ્યप्यविशिष्टमप्रयोजकं चेति न किञ्चिदेतत्॥४८॥ ટીકાર્ય -“સ' - સાતમો વિકલ્પ ઘાતીતુલ્યત્વ (છ વિકલ્પ કરતાં) અન્ય સ્વરૂપ કહ્યું, તે અનિવાર્ચન હોવાથી જ ઊઠી શકવા માટે યોગ્ય નથી. અહીં પૂર્વપક્ષી કહે કે ઘાતીની મધ્યમાં પરિગણિતપણું છે તે જ નિર્વચન છે, તેથી તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે‘ઘાતિ મળે' - ઘાતીના મધ્યમાં પરિગણિતપણું હોવાથી જ ઘાતતુલ્યપણું વળી આયુ, નામ, ગોત્રમાં અવિશિષ્ટ છે, અર્થાત્ આયુષ્ય, નામ અને ગોત્રનું પણ મોહનીય અને અંતરાયના મધ્યમાં પરિગણિતપણું છે, તેથી એ રૂપ ઘાતીતુલ્યત્વ અવિશિષ્ટ છે અને અપ્રયોજક છે, અર્થાત્ ઘાતી-અઘાતી પ્રકૃતિના વર્ણનમાં બે ઘાતીના મધ્યમાં અઘાતીનું પરિગણન એ ઘાતતુલ્યત્વનું અપ્રયોજક છે. એથી કરીને=આ સાતે વિકલ્પોનું પૂર્વમાં નિરાકરણ કર્યું એથી કરીને, આ=ઘાતીતુલ્ય વેદનીય કર્મ, મોહ વગર દુઃખકર નથી; આ પૂર્વપક્ષીનું કથન અકિંચિત્કર છે. ૮૮II ભાવાર્થ:- છ વિકલ્પમાં દોષ આવવાથી ઘાતીતુલ્યત્વનો અર્થ પૂર્વપક્ષી ‘ચ કરે છે. તેનું તાત્પર્ય એ છે કે ચાર ઘાતી પ્રકૃતિઓમાં ઘાતીત્વ પરિણામ છે, અને વેદનીય સિવાયની શેષ ત્રણ અઘાતી પ્રવૃતિઓમાં અઘાતીત્વ પરિણામ છે, જ્યારે વેદનીય ઘાતી અને અઘાતીથી અન્ય સ્વરૂપ છે, તેથી તેનું ઘાતી,લ્યત્વ ચાર ઘાતી અને શેષ ત્રણ અઘાતીથી અન્યસ્વરૂપ છે. શાસ્ત્રમાં ચાર પ્રકૃતિને ઘાતી કહેલ છે અને ચાર પ્રકૃતિને અઘાતી કહેલ છે; પરંતુ જીવમાં સુખનો ઘાત કરનાર વેદનીયકર્મ છે, તેથી તેમાં ઘાતતુલ્યવરૂપ અન્ય સ્વરૂપ છે, એવો પૂર્વપક્ષીનો આશય છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, સાતમો વિકલ્પ અનિર્વચન હોવાથી જ ચાર ઘાતી અને શેષ ત્રણ અઘાતીથી અન્યસ્વરૂપ શું છે તેનું નિર્વચન કોઈ રીતે થઈ શકતું નથી. તેથી પૂર્વપક્ષીએ કેવળ અન્યશબ્દથી જ તેનું કથન કર્યું, તે થઈ શકતું નહિ હોવાથી અનિર્વચનરૂપ છે. તેથી તે વિકલ્પનું ઉત્થાન કરવું અયોગ્ય છે. દા. અવતરણિકા - નન્દનુકૂવે નીર્થ સુવું, પ્રતિનીઘંટુર્ણ, તથા વિધવે રાશિ વિનંતિ न वीतरागाणां तत्संभव इत्याशङ्कायामाह
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy