SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦. . .. અધ્યાત્મમત પરીક્ષા. ગાથા - ૮૨-૮૩ ભગવાનની એક આજ્ઞામાત્રથી જેઓ આહારમાં પ્રવૃત્તિ કરે છે તેઓને આહાર પ્રત્યે કે સુધાશમન પ્રત્યે અભિલાષા નથી, પરંતુ સંયમવૃદ્ધિની જ અભિલાષા છે, અને સંયમવૃદ્ધિના ઉપાયમાં પ્રવૃત્તિ કરવારૂપ અભિલાષાથી જ આહારમાં તેમની પ્રવૃત્તિ છે. માટે આહારસંજ્ઞા વિના કવલાહારનો સંભવ છે તે રીતની યુક્તિથી પરપક્ષનેત્રદિગંબરને, પણ કથન કરી શકાય, માટે કોઈ દોષ નથી. કહેવાનો ભાવ એ છે કે, દિગંબરમત પ્રમાણે લોમાહાર આહારસંજ્ઞા વિના સંભવે છે, તેથી તે દષ્ટાંત પૂર્વપક્ષને માન્ય છે. તેથી હેતુ ઉભયને સંમત ન હોવા છતાં દષ્ટાંતથી હેતુની સિદ્ધિ કરી આ સિદ્ધ કર્યું છે, અર્થાત્ લામાહારની જેમ આહાર સંજ્ઞા વગર પણ કવલાહારનો સંભવ છે, તેથી આહારસંજ્ઞા કવલાહારનો અહેતુ છે. માટે આહાર સંજ્ઞા કવલાહારમાત્ર પ્રત્યે હેતુ છે એ રૂપ બીજો વિકલ્પ પણ યુક્ત નથી. II૮શા અવતરણિકા -નેવં પ૧/સ્તમયાદ અવતરણિકાW:- સુસાધુઓને આહારસંશા વગર પણ આહારમાં પ્રવૃત્તિ છે, એમ જે પૂર્વમાં ગાથા-૮૨માં સિદ્ધ કર્યું, આનાથી આ=વફ્ટમાણ પરાસ્ત છે, એ પ્રમાણે ગાથા-૮૩માં કહે છે ગાથા - एयं विणा ण भुत्ती मेहुणसण्णं विणा जह अबंभं । .. इय वयणंपि परेसिं एएण पराकयं णेयं ॥८३॥ ( एतां विना न भुक्तिमैथुनसंज्ञां विना यथाऽब्रह्म । इति वचनमपि परेषां एतेन पराकृतं ज्ञेयम् ।।८३॥ ) ગાથાર્થ - મૈથુનસંજ્ઞા વિના જેમ અબ્રહ્મ નથી, તેમ આના વિના=આહારસંશા વિના, ભક્તિ નથી; આ પ્રમાણે પરનું =પૂર્વપક્ષીનું, વચન પણ આનાથી=મહર્ષિઓને આહાર સંજ્ઞા વગર પણ આહારમાં પ્રવૃત્તિ છે એમ પૂર્વમાં ગાથા-૮૨માં સિદ્ધ કર્યું આનાથી, પરાકૃત જાણવું. ટીકા - પ્રતિમત્તાનારીરસંશા વિના યતીના મહાપરનાવાહાર ચાર સંતાવ્યતિરેકયુ - व्यतिरेकशालित्वाभावादेव मैथुनसंज्ञां विना स्त्रीपुंससंयोग इवाहारसंज्ञां विना केवलिनां तदनुपपत्तिः इति वचोऽपि निरस्तमावेदितव्यं, दृष्टान्तवैषम्यात्॥८३॥ ટીકાર્ય - પ્રતિ' - પ્રશસ્ત અભિલાષથી આહાર સંજ્ઞા વગર પણ યતિઓને આહારનું ઉપદર્શન હોવાને કારણે આહારનું આહારસંજ્ઞાના વ્યતિરેક(=અભાવ)પ્રયુક્ત વ્યતિરેકશાલિપણાનો અભાવ હોવાથી જ મૈથુન સંજ્ઞા વિના સ્ત્રીપુરુષના સંયોગની જેમ આહાર સંજ્ઞા વિના કેવલીને તેની કવલાહારની, અનુપપત્તિ છે, એ પ્રમાણે વચન પણ નિરસ્ત જાણવું, કેમ કે દૃષ્ટાંતનું વૈષમ્ય છે.I૮૩ 6; “મૈથુન...તનુપત્તિઃ ' એ પૂર્વપક્ષીનું કથન છે. અહીં“મૈથુનરંજ્ઞ....નિરસ્તાવિત એમાં એક હેતુ છત્તવૈષણા' છે અને બીજો હેતુ “મહારાણાસંસા.... શાસ્તિત્વમાવાવ' છે. અને માહર ચાહાર...માવાવમાં “પ્રશસ્ત...૩૫ વર્ણનાત્' સુધી હેતુ છે.
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy