SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૮૨ અધ્યાત્મ ૪૦૧ ગાથા ૮૨ ............. અધ્યાત્મ પરીક્ષા................. ૪૦૧ असणाइम्मि पवित्ति एत्तोच्चिय तं विणा सुसाहूणं । ण जहुत्तविहिविहाणे अइआरो हंदि णिद्दिवो ॥४२॥ ( अशनादौ प्रवृत्तिरत एव तां विनैव सुसाधूनाम् । न यथोक्तविधिविधानेऽतिचारो हंदि निर्दिष्टः ।।८२॥ ) ગાા - ગાથાર્થ - આથી કરીને જ અર્થાતુ ગાથા-૮૧માં કહ્યું તે ચાર કારણોથી આહાર સંજ્ઞા છે આથી કરીને જ, તેના વગર જ=આહાર સંજ્ઞા વગર જ, સુસાધુઓને અશનાદિમાં પ્રવૃત્તિ છે. (અહીં પૂર્વપક્ષી કહે કે સુસાધુને પણ આહાર સંજ્ઞાથી જ અશનાદિમાં પ્રવૃત્તિ છે, કેમ કે આહાર સંજ્ઞા વગર આહારમાં પ્રવૃત્તિ જ સંભવે નહિ. તેથી કહે છે.) ખરેખર યથોક્ત વિધિ આચરણામાં સુસાધુઓને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આહાર ગ્રહણ કરવામાં, અતિચાર કહેવાયો નથી. ટીકા - યતો દિ મોહનિવેન્નિરન્તરદાયિન્તના નૈવાડડર સંજ્ઞોપનાથ, મતો નિદાન यात्रामात्रार्थमेव कदाचिदप्रतिकुष्टपिण्डग्रहणमभिलषतां तां विनैव महर्षिणां भोजनादौ प्रवृत्तिः। ટકાર્થ “યતો દિ'- જે કારણથી મોહના અભિનિવેશને કારણે નિરંતર આહારચિંતનાદિ વડે જ આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે, આથી કરીને, યાત્રામાત્ર માટે જ સંયમયાત્રાનો પ્રયોજન માટે જ, અપ્રતિકુષ્ટ=અનિષિદ્ધ, ' પિંડગ્રહણને ઇચ્છતા એવા નિર્મોહ મહાત્માઓને તેના વિના જ આહાર સંજ્ઞા વિના જ, ક્યારેક ભોજનાદિમાં પ્રવૃત્તિ છે. “'નો અન્વય મતા'ની સાથે છે. ટીકા - અથાણારસંશા... રિતિ ર ત વિના મ ામપિત પ્રવૃત્તિતિ ? પ્રિવચનોकारणेनापि भोजनादिकुर्वतां यतीनामाहारसंज्ञयातिचारप्रसङ्गः, संज्ञानां चतसृणामप्यतिचाररूपत्वात्, अत एव ताभिर्हेतुभूताभिरतिचारप्रतिक्रमणमुपदिशन्ति-१ पडिक्कमामि चउहि सण्णाहि-आहारसण्णाए, भयसण्णाए, मेहुणसण्णाए परिग्गहसन्नाए' त्ति, न च कृत्यकरणेऽतिचारो नाम, न वाऽकृत्यविधानमपि। ટીકાર્ય - અથથી પૂર્વપક્ષી કહે કે આહારસંજ્ઞા આહારમાં હેતુ છે, એથી કરીને તેના વિના=આહારસંજ્ઞા વિના, મહર્ષિઓને પણ ત્યાં=ભોજનાદિમાં, પ્રવૃત્તિ ન થાય. તેને ગ્રંથકાર કહે છે કે, તો પછી પ્રવચનોક્ત કારણથી પણ ભોજનાદિ કરતાં યતિઓને આહારસંજ્ઞા વડે અતિચારનો પ્રસંગ આવશે; કેમ કે ચાર સંજ્ઞાઓનું અતિચારરૂપપણું છે. 'પ્રત પવ' આથી કરીને જ=ચાર સંજ્ઞાઓનું અતિચારપણું છે આથી કરીને જ, હેતુભૂત એવી તેઓ વડે =ચાર સંજ્ઞાઓ વડે, અતિચાર પ્રતિક્રમણનો ઉપદેશ આપે છે१. श्री श्रमणसूत्र - प्रतिक्रमामि चतुभिः संज्ञाभिः - आहारसंज्ञया, भयसंज्ञया, मैथुनसंज्ञया, परिग्रहसंज्ञया। ૪
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy