SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ • • • • • • • • • • • • • • • • • ગાથા - ૮૧ .... અધ્યાત્મમત પરીક્ષા... ૩૯૯ આહારસંજ્ઞા મોહથી અભિવ્યક્તિ છે એમ કહ્યું, તેમાં સાક્ષી બતાવે છે. સંજ્ઞાનક્રિયા તે સંજ્ઞા (ત) મોહથી અભિવ્યક્ત ચૈતન્ય છે. કૃતિ' સાક્ષીપાઠની સમાપ્તિસૂચક છે. ઘ' અને તે આહારઅભિલાષ (૧) અવમકોષ્ઠતા =કોઠો ખાલી થવો, (૨) સુધાવેદનીયકર્મનો ઉદય, (૩) મતિ અને (૪) તદર્થઉપયોગરૂપ સમુદિત એવાં આ ચાર કારણો વડે ઉત્પન્ન થાય છે. અને તે પ્રમાણે ઠાણાંગસૂત્રમાં કહેલ છે- ચાર કારણો વડે આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તે સ્થાનો આ પ્રમાણે (૧) અવમકોષ્ઠતા વડે, (૨) સુધાવેદનીયકર્મના ઉદય વડે, (૩) મતિ વડે અને (૪) તદર્થઉપયોગ વડે (આહારસંજ્ઞા પેદા થાય છે.) ‘તત્ર' - ત્યાં=ચાર કારણોમાં, મતિ આહારશ્રવણાદિથી અર્થાત આહાર અંગેની વાતો સાંભળવાથી થાય છે. વળી તદર્થ ઉપયોગ આહારનું નિરંતર ચિંતન કરનારને થાય છે એ પ્રમાણે ઠાણાંગસૂત્રમાં વ્યાખ્યાન કરાયેલ છે. યમ્' - સ્વકારણના પ્રકર્ષથી પ્રાપ્ત થયેલ પ્રકર્ષવાળી તે આ આહારસંશા તૃષ્ણા, એ પ્રમાણે કહેવાય છે; અને તે તૃષ્ણા, નિરંતર વધતી, ઈષ્ટ વિષયના સંયોગના અભિલાષની પરંપરારૂપ આર્તધ્યાનમયપણાને પામતી, પ્રકૃષ્ટ દુઃખરૂપ અંકુરના બીજ સમાન થાય છે.ll૮૧ાા મૂળગાથામાં ‘સાદારસંતિ' અહીં ‘તિ' છે તેનો અન્વય ટીકામાં ‘તૃષ્પIT તિ માથ' ત્યાં ભાસે છે, ગાયતે'નો અર્થ “માતે કર્યો લાગે છે. ભાવાર્થ - માણારસંશા' - આવશ્યકવૃત્તિમાં કહેલ છે કે આહાર સંજ્ઞા એ આહારના અભિલાષરૂપ છે, અને તે મહારસંજ્ઞા સુધાવેદનીયકર્મના ઉદયથી થયેલ આત્માનો પરિણામ છે. આ રીતે આવશ્યકવૃત્તિના વચનને જોતાં એ પ્રાપ્ત થાય કે, આહારસંજ્ઞા એ મોહના કારણે થનારો જીવનો પરિણામ નથી પરંતુ સુધારૂપ આત્માનો પરિણામ છે, એવો ભ્રમ થાય. એના નિવારણ માટે ગ્રંથકાર કહે છે કે, જીવમાં શરીરનો અનુરાગ વર્તે છે તેથી જીવને આહારની અર્થિતા પેદા થાય છે, અને તે અર્થિતા એ જીવની અંદરમાં વર્તતા શરીરના અનુરાગને કારણે પેદા થયેલ મોહનો પરિણામ છે; અને તે મોહના પરિણામને કારણે આહારસંજ્ઞા પેદા થાય છે, તેથી આહારસંજ્ઞા મોહથી અભિવ્યક્ત થનારો પરિણામ છે. તો પણ આવશ્યકવૃત્તિમાં તેને મુદ્દેદનીયના ઉદયથી થનારો જીવનો પરિણામ કહ્યો, તેનું કારણ આહાર સંજ્ઞા પ્રત્યે અસાધારણ કારણ સુધાવેદનીયનો ઉદય છે, અને નિમિત્ત કારણ Aવમાં વર્તતો શરીરનો અનુરાગ છે; અને તેના કારણે જીવને આહારની અર્થિતા પેદા થાય છે, અને તેના કારણે આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે; તો પણ મુખ્ય કારણ તેમાં સુદનીય કર્મ છે. તેને સામે રાખીને આવશ્યકવૃત્તિમાં યુર્વેદનીય કર્મના ઉદયથી આહાર સંજ્ઞા થાય છે એમ કહેલ છે. 'થી કહ્યું તેનો ભાવ આ પ્રમાણે છે- સંજ્ઞા શબ્દની વ્યુત્પત્તિ અર્થ બતાવતાં કહ્યું કે સંજ્ઞાનક્રિયા છે તે સંજ્ઞા છે, અને તે સંજ્ઞા શું છે તે બતાવતાં કહ્યું કે મોહથી પ્રગટ થયેલ ચૈતન્ય છે તે સંજ્ઞા છે. એનાથી એ પ્રાપ્ત થાય કે બધી જ સંજ્ઞાઓ સંજ્ઞાનક્રિયારૂપ છે અને મોહના પરિણામ સ્વરૂપ છે.. , હવે આહાર સંજ્ઞા પ્રત્યે ચાર કારણો હેતુ છે તે બતાવે છે. અને તે ચારે કારણો ભેગાં હોય ત્યાં જ આહાર સંજ્ઞા તિય ત્યાં અવમકોષ્ઠતા=પેટ ખાલી હોય અને સુદનીયનો ઉદય હોય, આ બે કારણોથી જીવને ભૂખનો અનુભવ શય; પરંતુ ખાવાની મતિ ન હોય કે ખાવાનો ઉપયોગ ન હોય તો ખાવાની ક્રિયા પણ ન હોય અને ખાવાની
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy