SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૭૮ અધ્યાત્મમતપરીક્ષા ::: ••• .. . . . . .૩૮૯ અશાતા વેદનીયના તીવ્ર પરિણામથી પરીષહ પેદા થાય છે; જ્યારે કેવલીમાં વેદનીયનો અતિ મંદતમ પરિણામ હોવાના કારણે સુધાદિ પરિણામ થતો નથી, તેથી કેવલીમાં ઉપચારથી પરીષહશબ્દનું કથન “ વા જિને' તત્ત્વાર્થ ૯/૧૧ સૂત્રમાં છે, તેમ પૂર્વપક્ષીને કહેવું છે. તેને ગ્રંથકાર કહે છે કે અશાતાવેદનીયજન્ય મંદ પરિણામમાં પરીષહશબ્દથી વાચ્ય અર્થની પ્રાપ્તિ નથી, તો પણ ઉપચારથી તેને પરીષહશબ્દથી વાચ્ય કરી શકાય, તો કર્માતરજન્ય આકુળતામાં પણ પરીષહશબ્દનો ઉપચાર કરીને તેને પરીષહશબ્દથી વાચ્ય કરી શકાય; જે પૂર્વપક્ષીને અભિમત નથી. અહીં કર્માતરજન્ય આકુળતા કહી તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, નામકર્મજન્ય જે મંદતમ પરિણામ કુરૂપ, દુઃસ્વરનામકર્મ, અશુભ સંસ્થાન આદિ જન્ય આકુળતામાં પણ પરીષહના ઉપચારનો પ્રસંગ આવશે; અર્થાત અશાતાવેદનીયના મંદતમ પરિણામમાં પરીષહનો ઉપચાર ઇષ્ટ છે, તેમ નામકર્મના ઉદયજન્ય મંદતમ પરિણામમાં પણ પરીષહના ઉપચારનો પ્રસંગ આવે અને અધિક પરીષહો સ્વીકારવાની આપત્તિ આવે; જે પૂર્વપક્ષીને ઇષ્ટ નથી. ઉત્થાન - અહીં પૂર્વપક્ષી તત્ત્વાર્થના સૂત્રનું સમાધાન બીજી રીતે કરે છે, તે બતાવીને નિરાકરણ કરે છે ટીકા - ચત-મોનનનનક્ષતાવિવિ મોહન તાવલિ = ક્ષથિિનષ્ઠા ઋવિજ્ઞાતિર્વાચા, सैव क्षायिकसुखप्रतिबन्धकतावच्छेदिका, इति तज्जातीयक्षुदाद्यभावेऽपि केवलिनां वेदनीयजन्यक्षुदादिसामान्यसत्त्वात्तत्रैवपरीषहनयोग्यता परीषहशब्दव्यपदेश इति इदमेवाभिप्रेत्य'छायारूपा एव तेषां परीषहाः' इत्यपि कश्चित्। ... मैवं, न हि क्षुत्तृष्णयोर्भोजनपानजनकत्वं नाम, अपि तु तत्प्रयोजकत्वमेव, प्रयोजिके च क्षुत्तृष्णे तथाविधाऽऽहारपर्याप्तिवेदनीयोदयप्रज्वलितौदर्यज्वलनोपतापजन्ये। अत एवोक्तं 'तथाविधाहारपर्याप्तिनामकर्मोदयवेदनीयोदयप्रबलप्रज्वलदौदर्यज्वलनोपतप्यमानो हि पुमानाहारयति, इति ॥७॥ તિ' શબ્દ “ચાવેત'થી કહેલ કથનની સમાપ્તિ સૂચક છે. કાર્ય બાત'-સુધાદિનિષ્ઠ ભોજનજનકતાવચ્છેદિકા અને મોહજન્યતાવચ્છેદિકા કોઇ જાતિ કહેવી જોઇએ. તે જતિ જ ક્ષાયિક સુખની પ્રતિબંધકતાવચ્છેદિકા છે. એથી કરીને તજાતીય સુધાદિના અભાવમાં પણ =ક્ષાયિક સુખની પ્રતિબંધકતાવચ્છેદિકાજાતીય સુધાદિના અભાવમાં પણ, કેવલીને વેદનીયજન્ય સુધાદિસામાન્યનું સત્ત્વપણું હોવાથી ત્યાં જ અર્થાત્ સુધાદિસામાન્યમાં જ, પરીષહનની યોગ્યતા હોવાના કારણે પરીષહશબ્દનો વ્યપદેશ છે. આ જ અભિપ્રાયને સામે રાખીને=પૂર્વમાં યાત'થી જે કથન કર્યું એ જ અભિપ્રાયને સામે રાખીને, છાયારૂપ જતેઓને પરીષહો છે, એ પ્રમાણે પણ કોઇક કહે છે. વિ' - પૂર્વપક્ષીનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, જે કારણથી ક્ષુધા અને તૃષા, ભોજન અને પાનની જનક જ નથી પરંતુ પ્રયોજક જ છે, અને ભોજન અને પાનની પ્રયોજક એવી ક્ષુધા અને તૃષા, તથાવિધ મહારપર્યામિ અને વેદનીયના ઉદયથી પ્રજ્વલિત એવા ઉદરજ્વલનના ઉપતાપથી જન્ય છે.
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy