SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ .પ૩૬ . . . . . . અધ્યાત્મમત પરીક્ષા . . . . . . .ગાથા - ૧૦૮ અહીં “ એ પ્રયોગ પ્રાકૃતશૈલી હોવાથી ‘સહતેના અર્થમાં છે. સહતે ક્રિયાપદનો કર્તા ત્રીજા પુરુષરૂપ મુનિ અધ્યાહાર છે. ; “નિધેિન વિષય વીર્યને પછી તત: અધ્યાહાર છે. टा:-तथा च क्षीणमोहनिद्राऽब्रह्मणां तद्वातॆव का? संयमोपकारकतया निद्राद्यजनकतया च स्तोकाहार एव गुण इति स्तोकत्वेनैव तस्य विधिः, आहारस्य रागप्राप्तत्वेन स्तोकत्वांश एव तस्य विधिव्यापारविश्रामात.'अदग्धदहनन्यायेन' हि यावदप्राप्तं तावदेव विधेयं, अत एव 'लोहितोष्णीषा ऋत्विजः प्रचरन्ति' इत्यत्र ऋत्विक्प्रचरणस्य प्रत्यक्षसिद्धत्वेन लोहितोष्णीषत्वमात्रं विधेयं, 'दध्ना जुहोति' इत्यादौ च दधनः प्रत्यक्षसिद्धत्वे करणत्वमानं विधेयं, लक्ष्यलक्षणयोश्चान्यतरसिद्ध्यसिद्ध्यनुरोधेनोभयत्रैवोद्देश्यविधेयभावव्यवस्थाऽऽकरे प्रपञ्चिता। ટીકાર્ય - “તથા ' તે પ્રકારે પૂર્વમાં કહ્યું કે આહાર સ્વતઃ ગુણ કે દોષરૂપ નથી, પરંતુ નિદ્રાદિજનકપણાથી કે બ્રહ્મચર્યની ગુપ્તિના વિઘટકપણાથી અર્થાત શુદ્ધાત્મામાં ચરવારૂપ બ્રહ્મચર્યની ગુપ્તિના વિઘટકપણાથી દોષરૂપ છે. તે પ્રકારે, જેઓને મોહ-નિદ્રા અને અબ્રહ્મ ક્ષીણ થઈ ગયાં છે તેવા કેવલીઓને તેની વાર્તા જ અર્થાત્ આહારદોષરૂપ છે તેની વાર્તા જ, ક્યાંથી હોય? અર્થાત્ ન જ હોય. ઉત્થાન :- જો આહાર સ્વતઃ ગુણરૂપ કે દોષરૂપ નથી, તો શાસ્ત્રમાં મુનિને સ્ટોક =થોડો આહાર ગ્રહણ કરવાનું વિધાન કેમ છે? એવો પ્રશ્ન પૂર્વપક્ષી કરે તો ગ્રંથકાર કહે છે ટીકાર્ય - “સંયમોપાર તથા સંયમને ઉપકારકપણાથી અને નિદ્રાદિઅજનકપણાથી અલ્પ આહાર જ ગુણરૂપ છે. એથી કરીને અલ્પપણાથી જ અર્થાત બહુપણાથી નહિ પરંતુ અલ્પપણાથી જ, તેની આહારની, વિધિ છે. ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં અલ્પ આહાર ગ્રહણનું વિધાન છે, તે અલ્પ આહારત્વેન વિધિ હોઈ શકે, પણ અલ્પત્વેન નહિ, તેથી કહે છે. ટીકાર્ય - “માર' આહારનું રાગપ્રાપ્તપણું હોવાને કારણે અલ્પત્વ અંશમાં જ તેનોનસ્તોક આહારના કથનનો, વિધિવ્યાપારમાં વિશ્રામ છે. ભાવાર્થ - સામાન્ય રીતે સંસારી જીવો આહારનાં પુગલો પ્રત્યેના રાગથી કે શાતાદિ સુખના રાગથી આહારમાં પ્રવૃત્તિ કરે છે. તેથી આહારની પ્રવૃત્તિ રાગથી પ્રાપ્ત છે, માટે આહારનું વિધાન કરવાનું કોઇ પ્રયોજન નથી. પરંતુ
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy