SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૧૦૧ અધ્યાત્મમત પરીક્ષા . . . . . . . . . ૫૧૫ . ટીકાર્યઃ- “સાનિતનવં'- સાધ્યનિદાનપણું જો કે કર્મની સાધ્યપણાની સિદ્ધિ થયે છતે સિદ્ધ થાય, તો પણ તેને કમને, સાધીને જ અર્થાત્ પૂર્વમાં વિશેષાવશ્યકભાષ્યની ગાથા-૨૦૧૨માં તેને સિદ્ધ કરીને જ આ પ્રસ્તુત ગાથાનો પ્રપંચ છે, માટે અન્યોન્યાશ્રય દોષ આવતો નથી. અથવા તો નિદાનભૂત=કારણભૂત, અધ્યવસાયનું વૈચિત્રપણું હોવાથી તે=કર્મ, સાધ્ય છે એમ કેટલાક કહે છે. ભાવાર્થ -“સાનિધાનત્વથી કહ્યું તેનું તાત્પર્ય એ છે કે ભાષ્યકારે પહેલાં “નડ્ડતા મૂકો.' ગાથા ૨૦૫રમાં યુક્તિઓ દ્વારા કર્મમાં સોપક્રમત્વ સિદ્ધ કર્યું હોવાથી પછી સાધ્યત્વ સિદ્ધ થાય છે, અને કર્મ સાધ્ય તરીકે સિદ્ધ થવાથી તર્જનક કારણ પણ સાધ્ય તરીકે સિદ્ધ થાય છે, એટલે કોઈ દોષ નથી. અહીં પ્રશ્ન થાય છે, તો પછી પૂર્વની ગાથા દ્વારા જ કર્મનું સોપક્રમત્વ અને સાધ્યત્વ સિદ્ધ થઈ જતાં હોવાથી પુનઃ સિદ્ધિ કરવી વ્યર્થ છે; તો તેનો ઉત્તર વિશેષાવશ્યકભાષ્યની ટીકામાં આપેલ છે કે, વિસ્તારપ્રિય શિષ્યજનના વિનોદ માટે એ સિદ્ધિ હોવાથી એમાં કોઈ દોષ નથી. અથવા કર્મબંધના કારણભૂત અધ્યવસાયોના વૈચિત્ર્યથી નિદાનનું સાધ્યત્વ સિદ્ધ કરી સાધ્યનિદાનજન્યત્વ " હેતુથી કર્મનું સાધ્યત્વ સિદ્ધ કરવું, એમ કેટલાક કહે છે. તેનું તાત્પર્ય એ છે કે, કર્મબંધના કારણભૂત અધ્યવસાયો વિચિત્ર પ્રકારના છે, એ પ્રમાણે શાસ્ત્રને સંમત છે. તેથી કર્મ સાધ્ય છે અર્થાત્ ઉપક્રમણીય છે એમ નક્કી થાય છે. કેમ કે અધ્યવસાયનું વૈચિત્ર્ય અન્યથા અનુપપન્ન છે. અર્થાત્ કર્મ સાધ્ય અને અસાધ્ય ભેટવાળાં ન હોય તો શાસ્ત્રસંમત કર્મબંધના કારણભૂત અધ્યવસાયનું વૈચિત્ર્ય ઘટે નહિ. માટે કર્મ સાધ્ય છે તે સિદ્ધ થાય છે. ટીકા - નૈવ વૈશદ્યાયોપર્ચિત્તર પ્રદક્તિ- [વિ. મ. ૨૦૧૮-૬૨] १ किञ्चिदकाले वि फलं पाइज्जइ पच्चए य कालेणं । ... तह कम्म पाइज्जइ कालेण विपच्चए वण्णं ।। २ भिण्णो जहेह कालो तुल्ले वि पहम्मि गइविसेसाओ । सत्थे व गहणकालो मइमेहाभेयओ भिन्नो ।। ३ तह तुल्लम्मि वि कम्मे परिणामाइकिरियाविसेसाओ । भिण्णोणुभवणकालो जेट्ठो मज्झो जहण्णो अ ॥ ४ जह वा दीहा रज्जू डज्झइ कालेण पुंजिया खिप्पं । वियओ पडो व सुस्सइ पिंडीभूओ य कालेणं । ५ भागो य निरोवट्टो हीरइ कमसो जहण्णहा खिप्पं । किरियाविसेसओ वा समे वि रोगे चिगिच्छाए ।। १. किञ्चिदकालेऽपि फलं पाच्यते पच्यते च कालेन । तथा कर्म पाच्यते कालेन विपच्यते चान्यत् ॥ २. भिन्नो यथेह कालस्तुल्येऽपि पथि गतिविशेषात् । शास्त्रे वा ग्रहणकालो मतिमेधाभेदंतो भिन्नः ।। ३. तथा तुल्येऽपि कर्मणि परिणामादिक्रियाविशेषात् । भिन्नोऽनुभवनकालो ज्येष्ठो मध्यो जघन्यश्च ॥ यथा वा दीर्घा रज्जुर्दह्यते कालेन पुञ्जिता क्षिप्रम् । विततः पटो वा शुष्यति पिण्डीभूतश्च कालेन ।। भागश्च निरपवतॊ हियते क्रमशो यथान्यथा क्षिप्रम् । क्रियाविशेषतो वा समेऽपि रोगे चिकित्सया ॥
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy