SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ અધ્યાત્મમતપરીક્ષા ગાથા - ૧૦૧ ઉત્થાન :- પૂર્વમાં કહ્યું કે પ્રાયશ્ચિત્તથી દીર્ઘકર્મસ્થિતિનું અપવર્તન થાય છે, અને તેને જ ‘અન્તરાછેદ’શબ્દથી પ્રતિપાદન કરેલ છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે પ્રાયશ્ચિત્તથી કર્મનાશ પ્રસિદ્ધ છે, અને તમારા કથન પ્રમાણે પ્રાયશ્ચિત્તથી કર્મનો નાશ થતો નથી પરંતુ દીર્ઘસ્થિતિનો નાશ થાય છે, તેથી તેની સંગતિ થશે નહિ. તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે ટીકાર્ય :- ‘પર્યાવળિામસ્તુ' વળી પર્યાયનો વિપરિણામ પર્યાયીનો જ વિપરિણામ હોવાથી (કર્મની સ્થિતિનો નાશ કર્મના નાશ તરીકે વ્યપદેશ પામે છે), એથી કરીને શું અસંગત છે? અર્થાત્ કાંઇ અસંગત નથી. ભાવાર્થ :- તાત્પર્ય એ છે કે, દીર્ઘસ્થિતિરૂપ કર્મના પર્યાયનો અલ્પસ્થિતિરૂપ જે વિપરિણામ છે, અર્થાત્ દીર્ઘસ્થિતિના નાશરૂપ જે વિપરિણામ છે, તે દીર્ઘસ્થિતિવાળા કર્મરૂપ પર્યાયીનો જ નાશરૂપ વિપરિણામ છે. તેથી પ્રાયશ્ચિત્તથી કર્મનાશ થાય છે એમ કહેલ છે. માટે કોઇ અસંગત નથી. ટીકા :- અથ લડરજ્જુ: પૂર્વાવવવિમાયાન્ધાવયવસંયો વિશેષેનોપપદ્યતાં, છઽસ્થિતિસ્તુ નથી इति चेत्? बहुकालभोग्यपुद्गलानामध्यवसायविशेषेण तत्कालमेवाहरणादिति गृहाण । सेयं कर्मणामपवर्त्तनाऽनिकाचितानामेव भवति, तीव्रेण तपसा पुनर्निकाचितानामपीति स्थितिः । यदाह भाष्यकार:[વિ. આ મા. ૨૦૪૬ ] १ सव्वपगईणमेवं परिणामवसादुवकमो होज्जा । पायमनिकाइआणं तवसा उ निकाइआणं पि ॥ ति । ટીકાર્ય :- ‘અથ’થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, પૂર્વ અવયવનો વિભાગ થવાથી અન્ય અવયવના સંયોગવિશેષથી (દીર્ઘરજ્જુ) ખંડરજ્જુ બની શકે, પરંતુ ખંડસ્થિતિ કેવી રીતે થઇ શકે? ગ્રંથકાર તેનો ઉત્તર આપે છે કે, બહુકાલભોગ્ય કર્મપુદ્ગલોનો અધ્યવસાયવિશેષથી તત્કાલ જ આહરણ થવાથી=ભોગવી શકાતા હોવાથી, (કર્મની ખંડસ્થિતિ થવામાં કોઇ અનુપપત્તિ નથી,) એ પ્રમાણે જાણ. સેવ – તે આ=બહુકાલભોગ્ય કર્મપુદ્ગલોને અધ્યવસાયવિશેષથી તત્કાલભોગ થવા રૂપ, કર્મની અપવર્તના અનિકાચિત કર્મોની જ થાય છે. વળી તીવ્ર તપથી નિકાચિતકર્મની પણ થાય છે. એ પ્રમાણે સ્થિતિ છે અર્થાત્ શાસ્ત્રીય મર્યાદા છે. જે કારણથી ભાષ્યકાર કહે છે- આ રીતે પરિણામવશથી અનિકાચિત સર્વ કર્મપ્રકૃતિઓનો પ્રાયઃ કરીને ઉપક્રમ થાય છે, વળી તપથી નિકાચિત કર્મોનો પણ (ઉપક્રમ) થાય છે. ટીકા :- નવુ નિાષિત નામ મોળ વિના ક્ષપળાયોગ્યું, તસ્ય વર્થ તપન્ના ક્ષયઃ? કૃતિ શ્વેત્ ન, उपशमनादिकरणान्तराविषयस्यैव नितरां बद्धस्य निकाचितार्थत्वात् तादृशस्य च कर्मणो दृढतरप्रायश्चित्तपरिशीलनोदिताध्यवसायातिरेकप्रसूतैकश्रेण्यारोहौपयिकापूर्वकरणगुणस्थानजनितापूर्वाध्यवसायैः स्थितिघातादिभिरेव परिक्षयसंभव इति । o. सर्वप्रकृतीनामेवं परिणामवशादुपक्रमो भवेत् । प्रायोऽनिकाचितानां तपसा तु निकाचितानामपि ॥
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy