SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ , , , , , , , , , , , , , , , ૪૮૦. . અધ્યાત્મમત પરીક્ષા ..... ગાથા - ૯૯ પરિણામરૂપ છે. અને તે કાળમાં કર્મ-નિર્જરાને અનુકૂળ એવી ઉચિત પ્રવૃત્તિ કરાવે તસ્વરૂપ જ સામાયિકનો પરિણામ છે. કેમ કે કર્મથી વિરુદ્ધ માટે પ્રયત્ન કરવો છે એવો તેમને પક્ષપાત નથી. તેથી ઉચિત પ્રવૃત્તિ કરાવનારાં એવાં જે કર્મો છે તે ઉપદેશ-આદિની પ્રવૃત્તિ પ્રત્યે કારણ છે, અને પોતાને તે કર્મોથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી છે તેવો પરિણામ સામાયિકમાં નથી, પરંતુ જગતના ઉપકારને કરનારાં ઉચિત કર્મો જ ઉચિત પ્રવૃત્તિ કરાવે તેવો તેમનો પરિણામ છે. તેથી જ તે સામાયિક કર્મનિર્જરાનું કારણ બને છે. જ્યારે સિદ્ધાવસ્થામાં સામાયિક કર્મનિર્જરાનું કારણ બનતું નથી પરંતુ જીવની પ્રકૃતિરૂપ છે. ટીકા - નવેવમુરિતપ્રવૃત્તિવષ્યમાવપ્રશસ્તરીયોઃ પૃથRRપતિદવિજ્યને નૌરવ, અન્યથા व्यभिचारो; मम तु तत्र प्रशस्तरागस्यैकस्यैव हेतुत्वमिति लाघवमिति चेत्? न, अप्रमत्तप्रवृत्त्यनुरोधेनाऽप्रशस्तरागद्वेषापूर्वकत्वप्रमादापूर्वकत्वलक्षणौचित्यद्वयान्तर्भावेनोक्तकारणताद्वयकल्पनायाः प्रामाणिकत्वात्। अस्तु वोचितप्रवृत्तित्वावच्छेदेनाप्रशस्तरागाद्यभावस्यैव हेतुत्वं, न चानुचितप्रवृत्तित्वावच्छिन्नं प्रति प्रशस्तरागाद्यभावस्य हेतुतायां विनिगमनाविरहः, अप्रमत्तप्रवृत्तौ व्यभिचारात्। न चाप्रमत्तानां प्रवृत्तिरेव नास्तीति सांप्रतं, योगदुष्प्रणिधानरूपप्रमादत्यागेऽपि तैस्तत्सुप्रणिधानाऽत्यागात्, सर्वथा योगनिरोधस्य शैलेश्यवस्थाभावित्वात्, इति किमित्यानेडितविस्मरणशीलताऽऽयुष्मतः॥१९॥ ટીકાર્ય - નથી પૂર્વપક્ષી કહે કે આ રીતે=પૂર્વમાં કહ્યું કે “ભવનશીલ' પ્રવૃત્તિ પ્રત્યે ઇચ્છા હેતુ છે, અને ‘ભવન્તિ પ્રવૃત્તિ પ્રત્યે ઇચ્છા હેતુ નથી પરંતુ સામાયિક જ હેતુ છે એ રીતે, ઉચિત પ્રવૃત્તિમાં અભિવૃંગાભાવ અને પ્રશસ્તરાગની પૃથક્કરણતાદ્વયની કલ્પનામાં ગૌરવ પ્રાપ્ત થશે–પૃથક્કાર્યતાનિરૂપિત કારણતાયની કલ્પનામાં ગૌરવ પ્રાપ્ત થશે. અન્યથા વ્યભિચાર થશે–પૃથક્કાર્યતાનિરૂપિત કારણતાય ન માનવામાં આવે તો વ્યભિચાર દોષ પ્રાપ્ત થશે. ભાવાર્થ -પૃથક્કારણતાયની કલ્પનામાં ગૌરવ છે એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, ઉચિત પ્રવૃત્તિરૂપ જે કાર્ય છે તેના બે વિભાગ કરીને એક પ્રકારની ઉચિત પ્રવૃત્તિ પ્રતિ અભિવૃંગાભાવ કારણ છે, અને અન્ય પ્રકારની ઉચિત પ્રવૃત્તિ પ્રતિ પ્રશસ્તરાગ કારણ છે, એમ માનવાને કારણે, બંને પ્રકારની ઉચિત પ્રવૃત્તિમાં રહેલી કાર્યતાના અવચ્છેદક એવા નવા ધર્મની કલ્પનારૂપ ગૌરવદોષ પ્રાપ્ત થશે; અને કાર્યાનિરૂપિત કારણતાદ્રયની પણ કલ્પના કરવી પડશે તે રૂપ ગૌરવ દોષ પ્રાપ્ત થશે. અન્યથા વ્યભિચાર છે એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, પૃથફ કાર્યતાનિરૂપિત કારણતાય ન માનવામાં આવે તો, જે સ્થાનમાં પ્રશસ્ત રાગ છે ત્યાં અભિવૃંગાભાવ હોવા છતાં કાર્યથઇ ગયું, અને જયાં અભિવૃંગાભાવ છે ત્યાં પ્રશસ્તરાગનો અભાવ હોવા છતાં કાર્ય થઈ ગયું. તેથી વ્યભિચારદોષ પ્રાપ્ત થશે. ટીકાર્થ ‘તુ' વળી મને ત્યાં=ઉચિત પ્રવૃત્તિમાં, એક એવા પ્રશસ્ત રાગનું જ હેતુપણું છે જેથી કરીને લાધવ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું. અપ્રમત્ત' કેમ કે અપ્રમત્ત પ્રવૃત્તિના અનુરોધથી અપ્રશસ્ત રાગ-દ્વેષ અપૂર્વકત્વ અને પ્રમાદ અપૂર્વકત્વલક્ષણ ઔચિત્યદ્વયના અંતર્ભાવ વડે ઉક્ત કારણતાદ્વયની કલ્પનાનું પ્રામાણિકપણું છે.
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy