SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ••• .૪૭૩ ગાથા -૯૯ . . . અધ્યાત્મમત પરીક્ષા...... અમૂઢલક્ષવાળા છે. અને અમૂઢલક્ષવાળા ભગવાન છે, એ ત્યારે જ સંભવે કે પ્રજ્ઞાપનીય અને ગ્રહણ કરનારને ગ્રહણયોગ્ય એવા જ અર્થોનું ભાષણ કરે. “નથી કહ્યું કે આનાથી રાગદ્વેષરૂપ હેતુનો અભાવ હોવાથી કેવલીની ઉપદેશમાં પ્રવૃત્તિ નથી, એ પણ નિરસ્ત જાણવું. અને તેમાં હેતુ કહ્યો કે રાગ-દ્વેષ અમૃતભાષામાં જ હેતુ છે. તેનું તાત્પર્ય એ છે કે ભાષાસામાન્ય પ્રત્યે રાગ-દ્વેષનું હેતુપણું નથી, પરંતુ અમૃતભાષામાં જ રાગ-દ્વેષનું હેતુપણું છે. અહીં વિશેષ એ છે કે યદ્યપિ સત્યભાષા પણ કોઇના પ્રત્યે રાગ હોવાથી તેના હિતને માટે થાય છે, પરંતુ અમૃતભાષા તો નિયમા રાગ-દ્વેષથી જ થાય છે; અને સત્યભાષા ક્વચિત્ રાગાદિપૂર્વક પણ થાય, અને ક્વચિત્ રાગાદિ વગર પણ થાય. તેથી રાગ-દ્વેષ હોય તો જ ભાષા બોલાય એવી વ્યાપ્તિ નથી. ટીકા - અથાકૃતમાલા વિસ્તિક્ષેવન્યપ્રાણાયામણુનુનિયુક્ષેવહેતુવિષ્યતીતિ વે?, મનુષ્યप्रवृत्तावेव तद्धेतुत्वात्। अत एव 'तो मुअइ नाणवुढेि भविअजणविबोहणट्ठाए'- इत्यत्रार्थपदं प्रयोजनार्थक नत्विच्छार्थकमित्याहुः। ટીકાર્ય - અથ'થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, અમૃતભાષામાં વિપ્રલિપ્સા=સામાને ઠગવાની ઈચ્છા, જેમ હેતુ બને છે, તેમ સત્યભાષામાં પણ અનુજિવૃક્ષા=અનુગ્રહ કરવાની ઇચ્છા, હેતુ બનશે. તેનો ગ્રંથકાર ઉત્તર આપે છે કે એમ ન કહેવું. તેમાં હેતુ કહે છે અનુગ્રહાર્થીની પ્રવૃત્તિમાં જ તેનું=અનુજિવૃક્ષાનું, હેતુપણું છે. ભાવાર્થ - અનુગ્રહાર્થીની પ્રવૃત્તિમાં જ અનુગ્રહ કરવાની ઇચ્છા હેતુ છે, એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, અનુગ્રહની ઇચ્છા વગર પણ પ્રવૃત્તિ થઈ શકે છે, તેથી કેવલી અનુગ્રહ કરવાની ઇચ્છાથી દેશના વગેરે પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ ભવ્યજીવોને અનુગ્રહ કરવા માટે દેશના વગેરેમાં યત્ન કરે છે તેમ માનવામાં દોષ નથી. ‘ગત વ'થી તે જ વાતની પુષ્ટિ કરતાં કહે છે ટીકાર્ય - સત પવ' - આથી કરીને જ અનુગ્રહાર્થીની પ્રવૃત્તિમાં જ અનુગ્રહ કરવાની ઇચ્છાનું હેતુપણું છે આથી કરીને જે, “તો મુમરૂ નાખવુદું ભવિમવિવાહણ' એ પ્રમાણેના શાસ્ત્રવચનમાં, અર્થપદ પ્રયોજનાર્થક છે પરંતુ ઇચ્છાર્થક નથી, એવું પૂર્વાચાર્યો કહે છે. ભાવાર્થ - તાત્પર્ય એ છે કે “ભવ્યજનોને બોધ માટે” એ કથનમાં ભવ્યજનોને અનુગ્રહ કરવાની ઈચ્છાથી ભગવાનની ઉપદેશમાં પ્રવૃત્તિ નથી, પરંતુ ભવ્યજનોને બોધના પ્રયોજન માટે ભગવાનની ઉપદેશની પ્રવૃત્તિ છે; એ બતાવવા માટે જ અર્થપદ પ્રયોજનાર્થક છે પરંતુ ઇચ્છાર્થક નથી, એમ પૂર્વાચાર્યો કહે છે. - અહીં વિશેષ એ છે કે અર્થપદ પ્રયોજનાર્થક છે પરંતુ ઇચ્છાર્થક નથી એમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે, પૂર્વાર્ધ - નિયમનાવવું મારૂતો વતી મિયાણા (માવ. નિ. ૮૬). तपोनियमज्ञानवृक्षमारूढः केवल्यमितज्ञानी । ततो मुञ्चति ज्ञानवृष्टिं भव्यजनविबोधनार्थाय ।।
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy