SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ , , , , , , , , , , , , , , , , , , , , ગાથા -૯૮. અધ્યાત્મમત પરીક્ષા ૪૬૩ પદાર્થનો કેવલજ્ઞાનમાં જેવો પ્રતિભાસ છે, તેને અનુરૂપ જ સ્વભાવ છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે, અમુક દેશમાં અને અમુક કાળમાં નિયત કાર્ય ઉત્પન્ન થયું, તેનું કારણ અન્ય કોઈ નથી પરંતુ કેવલજ્ઞાનથી નિયંત્રિત એવો પદાર્થની અંદરમાં રહેલો સ્વભાવ જ છે. તેથી કેવલજ્ઞાનથી જ કાર્યમાત્રના દેશ-કાલના નિયમની ઉપપત્તિ થઈ જશે. માટે સ્વભાવથી અતિરિક્ત કારણમાત્રના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થશે. અહીં વિશેષ એ છે કે જગતમાં કાર્ય બે પ્રકારનાં છે. (૧) એક ઉપાદેયમાં પ્રવૃત્તિ કરવાથી ઉપાદેયની પ્રાણિરૂપ કાર્ય છે, અને (૨) બીજું કારણ સામગ્રીથી કાર્યની ઉત્પત્તિ થવારૂપ કાર્ય છે. આ બંને પ્રકારનાં કાર્યો જે રીતે કેવલીએ જોયાં છે તે જ રીતે સર્વત્ર થાય છે, તેથી (૧) કેવલીના કેવલજ્ઞાનમાં તે તે ઉપાદેય પદાર્થો=જે જે વ્યક્તિ જે જે વસ્તુ ગ્રહણ કરવા માટે યત્ન કરે છે, તેનાથી તે તે દેશમાં અને તે તે કાલમાં જે ઉપાદેયનું ગ્રહણ થાય છે, તે સર્વ ઉપાદેય પદાર્થો; કેવલજ્ઞાનમાં તે રૂપે જ પ્રતિભાસિત થાય છે, તેથી તે તે ઉપાદેયથી અવચ્છિન્ન વિશેષતા કેવલજ્ઞાનમાં છે. કેમકે “સ્વવિષયિતા સંબંધથી તે ઉપાદેય બધા પદાર્થો કેવલજ્ઞાનમાં રહે છે, તેથી તે તે ઉપાદેયથી અવચ્છિન્ન વિશેષ્યતા કેવલજ્ઞાનમાં પ્રાપ્ત થશે. તેથી, તે તે ઉપાદેયથી વિશિષ્ટ એવું કેવલજ્ઞાન છે. માટે કેવલજ્ઞાનમાં વિશેષ્યતા છે અને તે વિશેષ્યતા તે તે ઉપાદેયથી અવચ્છિન્ન છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થયું કે, જે જે ઉપાદેય જે જે દેશમાં અને જે જે કાલમાં ગ્રહણ થવાના છે, તે રૂપ કાર્ય કેવલજ્ઞાનનો વિષય તે રીતે જ બને છે. માટે કેવલજ્ઞાનથી જ તે ગ્રહણરૂપ સર્વ કાર્યોના દેશ-કાલનો નિયમ ઉપપન્ન થઈ જશે. (૨) કુલાલાદિના પ્રયત્નથી ઘટાદિની ઉત્પત્તિ દેખાય છે તે રૂપ સર્વ કાર્ય પણ તે જ રીતે કેવલજ્ઞાનમાં પ્રતિભાસ થાય છે=આ દેશમાં અને આ કાળમાં આ ઘટાદિ કાર્યો પેદા થશે તે રૂપે જ પ્રતિભાસ થાય છે. તેથી “સ્વવિષયિતા' સંબંધથી તે તે પદાર્થની ઉત્પત્તિ પણ કેવલજ્ઞાનમાં રહે છે. તે તે ઉત્પત્તિથી અવચ્છિન્ન વિશેષતા કેવલજ્ઞાનમાં છે તેને કારણે, તે ઉત્પત્તિરૂપ સર્વ કાર્ય અમુક દેશમાં અને અમુક કાલમાં થાય છે તેના નિયમનની ઉપપતિ કેવલજ્ઞાનથી જ થઈ જશે. વળી જો સ્વભાવમાત્રથી જ દેશ-કાલનો નિયમ ભગવાનમાં તમે કેવલજ્ઞાનને અનુરૂપ કરી શકો છો, તે જ રીતે અન્યત્ર પણ થઈ જવાથી અન્ય કારણમાત્રના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થશે, અને એ પ્રમાણે ઘટાર્થી દંડાદિમાં જ પ્રવૃત્તિ કરે છે એ વાત અનુપપન્ન થઈ જશે. ઉત્થાન - પૂર્વમાં કહ્યું કે કેવલીએ જે પ્રમાણે જોયું છે તે પ્રમાણે તે થાય છે” એવો સ્વભાવનો અર્થ છે, એમ કહેવાથી કેવલજ્ઞાનથી જ કાર્યમાત્રના દેશકાલના નિયમની ઉપપત્તિ થયે છતે તદતિરિક્ત=તેનાથી અન્ય, કારણમાત્રના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થશે, તેનું નિવારણ કરતાં કથથી પૂર્વપક્ષી કહે છેટીકાઃ અ કાદવ પદત્ય વતિના ના તત્તત્ર વIRUમિતિ વે? દંતસ્થતલक्षायां सिद्धायां तथा ज्ञानविषयिता, तस्यां च सिद्धायां तदपेक्षेति परस्पराश्रयप्रसङ्गः। तस्माद् न ज्ञानविषयतान्तर्भावेन कारणता, अपि त्वन्वयव्यतिरेकाभ्यां, तथा ज्ञानविषयतायाः स्वभावत्वं तु न वारयामः, न च स्वभाव एव कारणत्वमिति किमज्ञप्रलापनिरासप्रयासेन! एतेन यदा यत् क्षेत्रं स्पष्टव्यं तदा तत्स्पर्शनं स्वभावादेव इत्यपि व्याख्यातम्। ટીકાર્ય અથ'-સ્વભાવનો અર્થ તો એ જ છે કે જે કેવલીએ જોયું છે, પરંતુ કેવલીએ તે પણ જોયું છે કે દંડાદિની અપેક્ષાથી જ ઘટની ઉત્પત્તિ થાય છે, તેથી ત્યાં=ઘટની ઉત્પત્તિમાં (દંડાદિ) કારણ છે.
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy