SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા -૯૭ અધ્યાત્મમત પરીક્ષા ૪૫૫ હોળchપ- અહીં પિ'થી એ કહેવું છે કે મોહજન્ય ક્રિયા તો ભગવાનને હોતી નથી પરંતુ યોગજન્ય ક્રિયા પણ નિર્બેજ હોય છે. ભાવાર્થ- પરપદાર્થમાં કર્તુત્વ-ભોક્નત્વરૂપ પરિણામથી બંધ થાય છે, અને મોહવગરના કેવલીને પોતે પરપદાર્થના કર્તા-ભોક્તા નથી એવું જ્ઞાન હોવાને કારણે બંધ થતો નથી. તે કારણથી તેઓને યોગકૃત ક્રિયા નિર્બીજ હોય છે, અર્થાત્ સ્વપ્રયત્નકૃત હોતી નથી. કેમ કે પરપદાર્થમાં કેવલીને કર્તુત્વ કે ભોક્નત્વબુદ્ધિ નહિ હોવાના કારણે પરપદાર્થમાં પ્રવૃત્તિ કરવાની ઇચ્છારૂપ પરિણામ તેમને થતો નથી. તેથી તેમની યોગકૃત પણ ક્રિયા નિર્બીજ છે એ પ્રમાણે કહેલ છે અહીં પ્રશ્ન થાય કે અવતરણિકામાં કહ્યું કે, ભગવાનને યોગજન્ય પણ ક્રિયા હોતી નથી એ પ્રકારે પૂર્વપક્ષી શંકા કરે છે; અને ગાથાર્થમાં કહ્યું કે તેઓને યોગકૃત ક્રિયા પણ નિર્બેજ હોય છે, તેથી ક્રિયાનો સ્વીકાર પ્રાપ્ત થાય. આ કથનનું તાત્પર્ય એ છે કે, પૂર્વપક્ષીને એ કહેવું છે કે જેમ વાદળાંનું સ્વાભાવિક ગમન હોય છે, પોતાની | ક્રિયાકૃત ગમન નથી, પણ પવનાદિકૃત વાદળાંનું ગમન હોય છે; તેમ કેવલીઓને પણ પોતાના પ્રયત્નકૃત ક્રિયા નથી, પરંતુ વાદળાંની જેમ સ્વાભાવિક ક્રિયા થાય છે. તેથી યોગકૃત ક્રિયા પણ કેવલીઓને નિર્બેજ હોય છે તેમ કહ્યું છે. અને અવતરણિકામાં યોગજન્ય પણ ક્રિયા ભગવાનને નથી તેમ કહ્યું, એનો ભાવ એ છે કે, ભગવાનને નિર્બેજ ક્રિયા છે સબીજ ક્રિયા ભગવાનને નથી, એ અર્થમાં યોગજન્ય ક્રિયા ભગવાનને નથી તેમ કહ્યું છે. ટકા - ગણ પરિમનના હિદિયા વી વી મતિ, તપુit 'उदयगदा कम्मंसा जिणवरवसहेण-णियदिणा भणिदा । तेसु हि मुहिदो रत्तो दुट्ठो वा बंधमणुहवदि ॥ त्ति [प्रवचनसार- १/४३] सा च ज्ञानादेव केवलिनां न भवति, मोहजन्यत्वात्तस्यां। अत एवोक्तं २ गेहदि पेव ण मुंचदि ण परं परिपमदि केवली भगवं। पेच्छदि समंतदो सो जाणदि सव्वं णिरवसेसं ॥ ति [प्रवचनसार- १/३२] ..तस्मात् काययोगादेरपि ग्रहणमोचनादिक्रिया तेषां निर्बीजैव, न हि स्वेष्टसाधनताज्ञानं विना चिकीर्षा, तां विना च प्रवृत्तिः संभवति, न चेच्छायां सत्यां वीतमोहत्वं नाम। ટીકાર્ય - અથ' થી પૂર્વપક્ષી કહે છે કે પરિણમનસ્વરૂપ ક્રિયા બંધનું બીજ છે. અને તે=પરિણમનસ્વરૂપ ક્રિયા, શાન હોવાથી જ કેવલીઓને હોતી નથી. કેમ કે તેનું પરિણમનસ્વરૂપ ક્રિયાનું, મોહજન્યપણું છે. પરિણમનસ્વરૂપ ક્રિયા બંધનું બીજ છે તેમાં પ્રવચનસારની સાક્ષી આપે છે - તપુર- ‘દયા’-તે કહ્યું છે - જિનવરવૃષભ વડે ઉદયગત કર્માશો નિયતથી સ્વભાવથી કહેવાયા છે, અને તેમાં કર્માશોમાં, મૂઢ અથવા રાગી અથવાષી બંધને અનુભવે છે. 'ત્તિ-પ્રવચનસારના ઉદ્ધરણની સમાતિસૂચક १. २. उदयगता: काशा जिनवरवृषभेण नियत्या भणिताः । तेषु हि मूढो रक्तो दुष्टो वा बन्धमनुभवति ॥ गृह्णाति नैव न मुञ्चति न परं परिणमति केवली भगवान् । पश्यति समन्ततः स जानाति सर्व निरवशेषम् ।
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy