SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૯૪. .. અધ્યાત્મમત પરીક્ષા , ૪૪૫ રાપિ" “નાપિકવ્યાત્વિ' સુધી જે કથન કર્યું તેનું તાત્પર્ય એ છે કે, તીર્થકરોમાં કાષ્ઠા પ્રાપ્ત એવી શાતાવેદનીયનો પ્રકર્ષ વિપાક હોય છે; જ્યારે ચક્રવર્તીમાં તેવો કાષ્ઠા પ્રાપ્ત પ્રકર્ષ વિપાક નથી, તેથી તીર્થકરને સુધાવેદનીય અભિભૂત છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે, તેથી કહ્યું છે કે, પુણ્યવિપાકના અત્યંત ઉત્કર્ષની સાથે પાપવિપાકના અત્યંત અપકર્ષની વ્યાપ્તિ નથી. અર્થાત્ તીર્થકરને પુણ્યવિપાકનો અત્યંત ઉત્કર્ષ હોવા છતાં પાપનો વિપાક એવા અપકર્ષવાળો હોય, કે જેથી પાપના વિપાકનો સર્વથા અનુભવ જ ન થાય તેવી વ્યાતિ મળતી નથી. ‘અથા' - 'ચા'થી જે કથન કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, જો પુણ્યપ્રકૃતિના અત્યંત વિપાકમાં પાપપ્રકૃતિ તેવા પ્રકારના અપકર્ષવાળી હોય કે જે પોતાનું કાર્ય જ ન કરે, તો સત્તામાં પણ તે પાપપ્રકૃતિ અત્યંત અપકર્ષરૂપે માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય=સત્તામાં પણ તેનો અભાવ છે તેમ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, જે પૂર્વપક્ષીને પણ માન્ય નથી. અહીં વિશેષ એ છે કે, જે પ્રકૃતિ સત્તામાં હોય તે પ્રકૃતિને અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિ પ્રાપ્ત થાય તો, તે પ્રકૃતિ બલવાન સજાતીય વિદ્યમાન હોય તો પણ, પોતાની શક્તિને અનુરૂપ કાર્ય અવશ્ય કરે. તીર્થકરોને પણ ઔદારિક શરીર છે તેથી તે શરીરના સ્વભાવ પ્રમાણે અમુક કાળે સુધા પેદા કરે તેવા પ્રકારનો પરિણામ થાય છે. તેથી જો પાપપ્રકૃતિનો વિપાક ન હોય તો તેની સત્તા પણ હોવી જોઇએ નહિ. અને જો સત્તા છે તો અવશ્ય અનુકૂળ દ્રવ્યક્ષેત્રાદિ પ્રાપ્ત થાય ત્યારેં સ્વસામર્થ્યને અનુરૂપ અલ્પ પણ કાર્ય કરે છે. તાશ'-તેવા પ્રકારના અભિભવનું તત્કાર્યઅપ્રતિપંથીપણું છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, બલવાન એવી સજાતીય શાતા વેદની એકઠી થયેલી હોય તે પોતાનું કાર્ય શાતા પેદા કરે તો પણ, જ્યારે ઔદારિક શરીર આદિને કારણે તેવો સુધાદિનો પરિણામ પેદા થાય છે ત્યારે, સુદનીયના કાર્યને અટકાવવા માટે તે બલવાન સજાતીયનું સંવલન સમર્થ નથી. કેમ કે શાતાવેદનીય સ્વવિપાકકાળમાં પોતાનું ફળ આપે છે, અને સુદનીયના કાળમાં અશાતાને અનુકૂળ સામગ્રી પ્રાપ્ત થવાથી તે પણ પોતાનું ફળ આપી શકે છે. ફક્ત સુદનીયના પ્રતિપક્ષભૂત એવી શાતાવેદનીય વિપાકમાં વર્તતી હોય, તે જ વખતે ક્ષુદ્દેદનીયનું કાર્ય અભિભૂત થાય, એ સિવાય ન થાય. તેથી અન્ય બલવાન સજાતીયનો-શાતાનો, વિપાક વર્તતો હોય તો પણ સુદનીય પોતાનું કાર્ય કરી શકે છે. ટીકા તેન સેવાનામપિ પુષ્પિત વેનીયં નામવિલાથાર સુથાનિ, રેવાધિદેવાનાં તુ कैव कथा? इति पामरप्रलपितं परास्तम्, न खलु देवानां वेदनीयमभिभूतमित्येव विचित्रस्वकार्याऽक्षमम्, अपि तु तद्भवौपग्राहिकविचित्रादृष्टवशादौदर्यज्वलनविशेषाद्यनुपष्टम्भहेतुकमिति। एवं च 'तथाविधाहारपर्याप्तिर्वेदनीयं च क्षुत्तृड्जनकं, न त्वनभिभूतमपि तत्र प्रवेशनीयं, गौरवात्' इत्यपि કન્તિાઝા ટીકાર્ય - ‘ન' - પુણ્યથી અભિભૂત હોવાને કારણે આપણા સમાન સુધાદિજનક એવું વેદનીયકર્મ દેવોને નથી, તો દેવાધિદેવને તો સુધાદિજનક વેદનીયકર્મ છે એવી કથા પણ ક્યાંથી હોય? એ પ્રમાણે પામર લિપિત=પામર વડે કહેવાયેલું, આનાથી તાદેશઅભિભવનું તત્કાર્ય-અપ્રતિપંથીપણું છે એમ કહ્યું આનાથી,
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy