________________
બીજી તરફ એ જ વર્ગના ભટ્ટારક ગબ્દિકા, સિંહાસન, છત્ર, ચામર, ભવન, ભૂમિ, દાસ-દાસી, ધન-સંપત્તિ વગેરે દરેક પ્રકારના પરિગ્રહ રાખે છે. દિંગંબર મુનિ કેવળ પાદવિહારી હોય છે, તો ભટ્ટારક રેલવે, બસ, વાયુયાન, કાર વગેરે વાહનોનો ઉપયોગ કરે છે.
શ્વેતાંબર સાધુ-સાધ્વીઓનો જ્યાં સુધી પ્રશ્ન છે, તો મૂર્તિપૂજામાં વિશ્વાસ કરવાવાળો વર્ગ મુખવસ્ત્રિકા મોં (મુખ) પર નહિ રાખતા, હાથમાં રાખે છે. માન્યતાની દૃષ્ટિથી શ્વેતાંબરસંઘની સંપ્રદાયોએ મુખવસ્ત્રિકાને ઉપકરણના રૂપમાં માન્યતા આપેલી છે. આ જ વર્ગનો એક ઉપવર્ગ, કેવળ વસ્ત્રના આંચળ (ખેડા)થી જ મુખવસ્ત્રિકાનું કામ લે છે. એ ઉપવર્ગનાં શ્રમણ-શ્રમણીઓ દ્વારા હાથમાં દંડ ધારણ કરવામાં આવે છે.
આનાથી વિપરીત સ્થાનકવાસી સાધુ-સાધ્વી મુખ પર મુખવસ્ત્રિકા રાખે છે. રજોહરણ, પાત્ર અને પુસ્તકાદિ સિવાય હાથમાં દંડ નથી રાખતા. આ જ પરંપરાના એક વર્ગનાં સાધુ-સાધ્વી સ્થાનકવાસી શ્રમણ-શ્રમણીઓની ભાંતિ મુખવસ્ત્રિકા આદિ રાખે છે પરંતુ આ બંને વર્ગો દ્વારા રાખવામાં આવતી મુખવસ્ત્રિકાના આકાર પ્રકારમાં થોડું અંતર રહે છે.
જ્યાં સુધી આગમોના વિલુપ્ત થઈ જવાની વાત છે, ભારતનાં અન્ય દર્શનો-વૈષ્ણવ, શૈવ, વેદાંત વગેરે ધર્મોના આધારભૂત (અપૌરુષેય) કહેવાતા વેદ, ભાષ્ય, ઉપનિષદ, શ્રુતિઓ, ભાગવતુ, મહાભારત, ગીતા વગેરે ધર્મગ્રંથોમાંથી એક પણ ગ્રંથ વિલુપ્ત નથી થયા. તે વિલુપ્ત થવાની વાત પણ કોઈ નથી કરતા. તીર્થકર મહાવીરના સમકાલીન મહાત્મા બુદ્ધે પિટકોનું પ્રણયન કર્યું, તેના વિલુપ્ત થવાની વાત બૌદ્ધ દર્શનવાળા પણ નથી કરતા. તો પછી માત્ર જૈન ધર્મના દિગંબરસંઘના અનુયાયી જ એવી વાત કેમ કરે છે? તેમના જ ધર્મશાસ્ત્ર અગિયાર અંગ, ઉપાંગ, છેદ, સૂત્ર વગેરે આગમ ગ્રંથ કેવી રીતે વિલુપ્ત થઈ ગયા ? દુકાળ, આક્રમણ વગેરે વિલુપ્તતાનાં કારણ બતાવવામાં આવે છે. આવી સ્થિતિમાં શું કેવળ એકલા જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969 ૦૫ |