SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અતિવિશાળ ચૌદ પૂર્વેની રચના આચારાંગાદિ દ્વાદશાંગીની પૂર્વે કરવામાં આવી. અતઃ એમને પૂર્વાનાં નામોથી અભિહિત કરવામાં આવ્યા. ચૌદ પૂર્વોની રચના પશ્ચાત્ અંગશાસ્ત્રોની રચના કરવામાં આવી. શ્વેતાંબર સાહિત્યમાં ઇન્દ્રભૂતિ ગૌતમના દીક્ષાકાળમાં એમના પિતાના વિદ્યમાન હોવા કે ન હોવાનો કોઈ ઉલ્લેખ દૃષ્ટિગોચર નથી થતો. દિગંબર પરંપરાના અધિકાંશ આચાર્યો પણ આ વિષયમાં મૌન છે. પરંતુ દિગંબર કવિ ‘રયધુ’ એ અપભ્રંશ ભાષામાં મહાવીર ચરિત્ર લખ્યું છે, એ અનુસાર ઇન્દ્રભૂતિની દીક્ષાના સમયે એમના પિતા શાંડિલ્ય વિદ્યમાન હતા. ઇન્દ્રભૂતિ ગૌતમની શ્રમણદીક્ષાને લઈને શ્વેતાંબર અને દિગંબર પરંપરાઓમાં મતભેદ છે. શ્વેતાંબર પરંપરા પ્રભુ મહાવીરના કેવળજ્ઞાન પ્રાપ્તિના બીજા જ દિવસે (વૈશાખ શુક્લ ૧૧) ઇન્દ્રભૂતિની દીક્ષા માને છે; જ્યારે કે દિગંબર પરંપરા ૬૬ દિવસ પછી - શ્રાવણ કૃષ્ણ પ્રતિપદાના દિવસે દીક્ષા માને છે. એમના સિવાય મંડલાચાર્ય ધર્મચંદ્ર કૃત ‘ગૌતમ ચરિત્ર’ અનુસાર ભગવાન મહાવીરને વૈશાખ શુક્લ ૧૦ના દિવસે સંધ્યાકાળની વેળાએ કેવળજ્ઞાન થયા પછી ત્રણ કલાક વ્યતીત થઈ જવા પછી ઇન્દ્રભૂતિની દીક્ષા થઈ. ઇન્દ્રભૂતિ ગૌતમે ચરમશરીરી ગણધરપદ પ્રાપ્ત કર્યું. તીર્થંકર નામના ઉપાર્જન માટે આગમોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે અમુક ૧૬ અથવા ૨૦ સ્થાનોમાંથી કોઈ એક અથવા એકથી વધારે સ્થાનોની ઉત્કટ સાધના કરવાથી સાધક તીર્થંકર નામ-કર્મનું ઉપાર્જન કરે છે. પરંતુ ગણધર નામકર્મનો ઉપાર્જન કયા કયા પ્રકારની ઉત્કૃષ્ટ કોટિની સાધના કરવાથી થાય છે, એનો કોઈ ઉલ્લેખ આગમ સાહિત્યમાં દૃષ્ટિગોચર નથી થતો. જૈન પરંપરાના આગમ અને આગમેતર સાહિત્યમાં વિશ્વવંદ્ય, ત્રૈલોક્ય શ્રેષ્ઠ તીર્થંકરપદની પશ્ચાત્ ગણધરપદને જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આ ગરિમાપૂર્ણ પદની પ્રાપ્તિ માટે સાધકે થોડીક જ ઓછી કઠોર સાધના કરવી પડે છે. એક જ પ્રકારની વાચનાવાળા સાધુ-સમુદાયને ગણ અને આ સાધુ સમુદાયની વ્યવસ્થાનું સંચાલન કરવાવાળા મુનિને ગણધર કહેવામાં આવ્યા છે. ભગવાન મહાવીરના ૧૧ પ્રમુખ શિષ્યોએ પ્રભુના મુખે ‘ત્રિપદી’ સાંભળી ત્રણ નિષદ્યાઓ(વંદન કરીને પૂછવું)માં ચૌદ પૂર્વેની રચના કરી અને પ્રભુએ એમને ગણધર ઘોષિત કર્યા અને તેઓ ગણધર કહેવાયા. © જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૪૮
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy