SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. પ્રત્યેક નાગરિકને એ બધાં આવશ્યક કર્તવ્યોથી અવગત કરાવવાં, જેના પાલનથી દેશમાં કલ્યાણકારી સુશાસનની સ્થાપના થાય છે અને એ કર્તવ્યોથી ટ્યુત થવાની દશામાં દેશ અવનતિના ઊંડા ખાડામાં પડે છે. ૮. ભારતીય ઇતિહાસના જે-જે સમયને ઐતિહાસિક ઘટનાઓની અનુપલબ્ધિના કારણે અંધકારપૂર્ણ બતાવવામાં આવ્યો હતો, એ સમયની ઐતિહાસિક ઘટનાઓને જૈન ધર્મના પ્રામાણિક ગ્રંથો, શિલાલેખો વગેરેના ઠોસ આધારે પ્રકાશમાં લાવીને ભારતીય ઇતિહાસની તૂટેલી કડીઓને જોડવી અને એ અંધકારપૂર્ણ સમયને પ્રકાશપૂર્ણ બનાવવો. ૯. સ્વાતંત્ર્યમૂલક સુશાસનની શીતળ છાયામાં ભૌતિક - આધ્યાત્મિક સુખ-સમૃદ્ધિના કલ્પતરુ અંકુરિત, પુષ્પિત, પલ્લવિત અને ફલિત થાય છે. એનાથી વિપરીત પારતંત્ર્યમૂલક કુશાસનના અપાવન પંક(કાદવ)માં વૈષમ્યનું વિષવૃક્ષ અંકુરિત થાય છે. એ વિષવૃક્ષનાં વિષયુક્ત ફળોથી મનુષ્ય માનવતાને ભૂલીને કેવી રીતે નિકૃષ્ટ બની જાય છે, એ તથ્યથી પ્રત્યેકને અવગત કરાવવાના અભિપ્રાયથી પ્રસ્તુત ખંડમાં ધર્મ અને ધર્માચાર્યોના ઇતિહાસની સાથેસાથે એમના સમ-સામયિક ઇતિહાસનું પણ દિગ્દર્શન કરવામાં આવ્યું છે. માનવતા માટે અહિતકર ભૂતકાલીન ભૂલોની કોઈ પણ દશામાં આ ધર્મપ્રાણ દેશના નિવાસી પુનરાવૃત્તિ ન કરે, એ જ મુખ્ય લક્ષ્ય આ વર્ણનની પાછળ રહ્યું છે. (જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ(વિસ્તૃત)નો દ્વિતીય ભાગથી ઉદ્ધત અંશ.) [ ૩૪ 339999999 જેન ધર્મનો મલિક ઇતિહાસ (ભાગ-૨)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy