SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ફરી મેળાપ થયો. એ વખતે રામિલ્લ, સ્થૂલાચાર્ય અને સ્થૂળભદ્રએ તો ભવભ્રમણના ભયથી વસ્ત્ર ત્યાગીને નિગ્રંથ રૂપ ધારણ કરી લીધું. પણ કેટલાક સીધુ જે કષ્ટ વેઠતા ગભરાતા હતા. એમણે, જિનકલ્પ અને સ્થવિરકલ્પની કલ્પના કરી નિગ્રંથ પરંપરાથી વિપરીત વિરકલ્પને પ્રચલિત કર્યો. આમાં એવું બતાવવામાં આવ્યું નથી કે – “ભૂલાચાર્ય આદિ આચાર્યોમાંથી કયા આચાર્યના કયા શિષ્યથી શ્વેતાંબર મતની ઉત્પત્તિ થઈ.” રત્નનંદીએ પોતાના “ભદ્રબાહુ ચરિત્ર'માં અદ્ધફાલક મતથી શ્વેતાંબર મતની ઉત્પત્તિ બતાવી છે. એ પ્રમાણે વલ્લભીપુરના મહારાજ લોકપાલે મહારાણી ચંદ્રલેખાની પ્રાર્થનાથી ઉજ્જૈનમાં વિરાજમાન એના ગુરુ જિનચંદ્રને વલ્લભીમાં બોલાવ્યા. જિનચંદ્રના શરીર ઉપર માત્ર એક જ વસ્ત્ર જોઈને વલ્લભીનરેશ અસમંજસમાં પડી ગયા અને એમને નમસ્કાર કર્યા વગર જ પોતાના રાજમહેલમાં જતા રહ્યા. ત્યારે રાણીએ પોતાના પતિના ભાવોને પામીને જિનચંદ્ર મુનિની પાસે વસ્ત્ર મોકલી એમને એ ધારણ કરવાની પ્રાર્થના કરી. સાધુઓ વડે વસ્ત્રધારણની વાત સાંભળી રાજાએ ભક્તિભાવે એમનું પૂજન-અર્ચન કર્યું. એ જ દિવસથી શ્વેતવસ્ત્ર ધારણ કરવાને લીધે અદ્ધફાલક મત શ્વેતાંબર મતના નામથી વિખ્યાત થયો. આ મત રાજા વિક્રમની મૃત્યુથી ૧૩૬ વર્ષ પછી પ્રચલિત થયો. દિગંબર પરંપરાના ગ્રંથો “ભાવસંગ્રહ, બૃહત્કથાકોષ અને રત્નનંદીના ભદ્રબાહુ ચરિત્ર' - આ ત્રણેયમાં ભિન્ન-ભિન્ન પ્રકારે શ્વેતાંબર મતની ઉત્પત્તિના ઉલ્લેખો ઉપલબ્ધ થાય છે. શ્વેતાંબર પરંપરામાં બોટિક મત (દિગંબર મત)ની ઉત્પત્તિના વર્ણનમાં વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યક ચૂર્ણિ અને સ્થાનાંગ' આદિમાં મૂળ ઘટનાની, પૂર્ણરૂપે સમાનતા અને વૈષમ્યરહિત મનઃસ્થિતિને પરિચય મળે છે, જ્યારે કે દિગંબર પરંપરાના ગ્રંથોમાં વિવિધ રૂપતા તેમજ વિષમ મનઃસ્થિતિનો પડઘો પડે છે. બંને પરંપરાઓના ગ્રંથોના વિષય ઉપરના ઉલ્લેખો પરથી એટલું તો સ્પષ્ટ થઈ જાય છે કે વી. નિ. સં. ૬૦૬ અથવા ૬૦૯ થી લગભગ શ્વેતાંબર - દિગંબરનો સંપ્રદાયભેદ પ્રગટ થયો. જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ : (ભાગ-૨) 96969696969696969696969). ૨૯૩
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy