SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ (સુહસ્તી દ્વારા સસ્પતિને પ્રતિબોધ ) કલ્પચૂર્ણિ'ના ઉલ્લેખાનુસાર આર્ય સુહસ્તી એમના જીવંત સ્વામીને પ્રણામ કરવા માટે એક વખત ઉજ્જયિની ગયા અને રથયાત્રાની સાથે ચાલતા રહીને રાજમહેલના આંગણે પહોંચ્યા. રાજપ્રસાદની અટારીએ બેઠેલા રાજા સમ્મતિએ જ્યારે એમને જોયા તો એમને એવું લાગ્યું કે જાણે એમણે એમને પહેલા ક્યાંક જોયા હોય. મનમાં દ્વન્દયુદ્ધ ચાલતા રાજાને જાતિસ્મરણનું જ્ઞાન થયું. એણે એના સેવકોને આચાર્ય સુહસ્તીના વિષયમાં જાણકારી મેળવવાનો આદેશ આપ્યો, પોતાના સેવકો પાસેથી આચાર્યશ્રીના રોકાવાના સ્થળની જાણ થતા રાજા એમની સેવામાં ગયો અને ઉપદેશ-શ્રવણ પછી એણે આચાર્યશ્રીને પ્રશ્ન કર્યો : “ભગવન્! ધર્મનું ફળ શું છે?” આચાર્યશ્રીએ જવાબ આપ્યો : “રાજન્ ! અવ્યક્ત વગર સમયે સામાયિક ધર્મનું ફળ રાજ્યપદની પ્રાપ્તિ વગેરે છે.” “સાચું કહો છો ભગવન્!” આમ કહેતાં સમ્મતિએ આર્ય સુહસ્તિીને પ્રશ્ન કર્યો: મહારાજ ! શું તમે મને ઓળખો છો?” જ્ઞાનોપયોગ વડે સમ્પતિનો પૂર્વભવ જાણી આચાર્યશ્રીએ જવાબ આપ્યો : “તું મારો જાણીતો-પરિચિત છે. આના પહેલાના તારા જન્મમાં તું મારો શિષ્ય હતો. ત્યાર બાદ રાજા સમ્મતિ પાંચ અણુ વ્રતધારી, ત્રસ્ત જીવોની હિંસાને ત્યાગીને અને શ્રમણસંઘનો વિકાસ કરવાવાળો મહાન પ્રભાવક થઈ ગયો.” (સમ્મતિનો પૂર્વભવ રાજા સમ્મતિના સવાલના જવાબરૂપે એના પૂર્વભવનો વૃત્તાંત સંભળાવતા આર્ય સુહસ્તીએ કહ્યું : “રાજન્ ! તારા આ જન્મથી પહેલાંની વાત છે, એક વખત વિચરણ કરતા-કરતા હું મારા શ્રમણ શિષ્યોની સાથે કૌશાંબી નામના એક નગરમાં ગયો. એ વખતે ત્યાં દુકાળ પડ્યો હતો. માટે સામાન્ય લોકો માટે અન્ન મળવું દુર્લભ હતું. શ્રમણો પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને ભક્તિને લીધે શ્રદ્ધાળુ ગૃહસ્થ એમને ભિક્ષાટનમાં પર્યાપ્ત માત્રામાં અન્નજળ આદિ આપતાં હતાં. એક વખતે ૨૦૦ 999999999999ન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy