SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ તારા રથમાં બેસવા દે. રથના પૈડાના છ આરા તૂટવા એ તારા માટે અને તારી ભાવિ પેઢીઓ માટે મહાન શુભ શુકન છે, તારી છે પેઢીઓ અખંડપણે રાજ્ય કરતી રહેશે.” જેવી તમારી આજ્ઞા દેવ !” કહીને ચંદ્રગુપ્ત ચાણક્યની આજ્ઞાને શિરોધાર્ય કરી ધનનંદની પુત્રીને પોતાના રથમાં બેસાડી દીધી. ત્યાર બાદ ચંદ્રગુપ્ત અને રાજા પર્વતકે ધનનંદની અપાર ધનસંપદાનું પરસ્પર વિભાજન કરવું શરૂ કર્યું. એ સમયે ધનનંદના રાણીવાસમાંની એક અત્યંત અદ્ભુત સૌંદર્ય-લાવણ્યા સુંદરી ચંદ્રગુપ્ત અને પ્રવર્તકની સામે હાજર કરવામાં આવી. રાજા પવર્તક એને જોતાં જ એના પર મોહી પડ્યો. ચાણક્યની સલાહ મુજબ એ કન્યાના લગ્ન પર્વતક સાથે કરવાનું નક્કી થયું. વર-વધૂનાં પરસ્પર કર ગ્રહણ કરવાના સમયે લગ્ન વેદીની આગના તાપથી બંનેના હાથોમાં પરસેવો વળ્યો, અને વધૂ વિષકન્યા હોવાને લીધે એના હાથનો પરસેવો લાગતા જ પર્વતક ઉપર ઝડપથી વિષનો પ્રભાવ થવા લાગ્યો. અંતે એ વિષકન્યાના ઝેરીલા પસીનાથી પર્વતક મૃત્યુ પામ્યો. આ રીતે ચંદ્રગુપ્ત વડે કોઈ પણ જાતના પ્રયત્ન કર્યા વગર જ પર્વતકના જાતે જ મૃત્યુ પામવાથી ચંદ્રગુપ્ત એકલો જ બધી ધન-સંપત્તિ અને રાજ્યનો સ્વામી બની ગયો. જે વર્ષે આચાર્ય સ્થૂળભદ્રનો સ્વર્ગવાસ થયો, એ જ વર્ષે નંદવંશનો અંત, પર્વતકનું અવસાન અને પાટલિપુત્રનું વિશાળ સામ્રાજ્ય તેમજ પર્વતકના રાજ્ય ઉપર ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્યાભિષેક થયો. આ રીતે ચંદ્રગુપ્ત વી. નિ. સં. ૨૧૫(ઈ.સ.પૂર્વ ૩૧૨)માં નંદ રાજવંશને સમાપ્ત કરી પાટલિપુત્રમાં મૌર્ય રાજ્યવંશની સ્થાપના કરી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969 ૧૯૧)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy