SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ અને વિશિષ્ટ વિવેચન ન જણાવો, પણ મૂળરૂપથી તો એની વાચના આપવાની મારા પર કૃપા કરો.” આચાર્યએ એવું ધારી લીધું હતું કે સંપૂર્ણ ચતુર્દશે પૂના જ્ઞાનમાંથી અંતિમ ચાર પૂર્વોનું જ્ઞાન એમની સાથે જ સમાપ્ત થઈ જશે. પણ આખરે એમણે આર્યને બાકીના ચાર પૂર્વોની માત્ર મૂળ વાચનાઓ આપી. શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓનો આ વિષયમાં એકમત છે, અને તે છે આચાર્ય ભદ્રબાહુ ભગવાન મહાવીરના શાસનમાં અંતિમ ચતુર્દશ પૂર્વધર અથવા શ્રુતકેવળી થયા. વિ. નિ. સં. ૧૭૦માં (ઈ.સ.થી ૩૫૭ વર્ષ પહેલાં) આચાર્ય ભદ્રબાહુના સ્વર્ગગમન પછી આર્ય સ્થૂળભદ્ર ભ. મહાવીરના આઠમા પટ્ટધર આચાર્ય બન્યા. - આચાર્ય સ્થૂળભદ્ર અનેક ક્ષેત્રોના ભવ્યજીવોનો ઉદ્ધાર કરતા-કરતા વિહારનુક્રમે એક દિવસ શ્રાવસ્તીમાં પધાર્યા. ત્યાં એમણે બાળપણના મિત્ર ધનદેવને સાચાધર્મના અનુયાયી અને ઉપાસક બનાવી એને ભવભ્રમણથી બચવાનો પ્રશસ્ત રસ્તો બતાવ્યો. આચાર્ય સ્થૂળભદ્રના આચાર્યકાળનાં ૪૪ વર્ષ વિત્યા પછી વિ. નિ. સં. ૨૧૪માં શ્વેતાંબિકા નગરીમાં અષાઢાચાર્યના શિષ્યોથી ત્રીજા નિનવ અવ્યક્તવાદીની ઉત્પત્તિ થઈ. આર્ય સ્થૂળભદ્ર ૩૦ વર્ષ સુધી ગૃહસ્થપર્યાયમાં રહ્યા. વિ. નિ. સં. ૧૭૦ થી ૨૧૫ સુધી એમણે આચાર્યપદ પર રહીને વીરશાસનની સેવાઓ કરી. અંતે ૯૯ વર્ષનું આયુષ્ય ભોગવી વી. નિ. સં. ૨૧૫માં રાજગૃહ નગરની નજીક વૈભારગિરિ ઉપર ૧૫ દિવસના અનશન અને સંથારા બાદ એમણે દેવલોકગમન કર્યું. ભારતીય ઇતિહાસની દૃષ્ટિથી આર્ય સ્થૂળભદ્રનો યુગ રાજ્યપરિવર્તન અથવા રાજ્ય-વિપ્લવનો યુગ રહ્યો. ભારત ઉપર યુનાનીઓનું આક્રમણ, મહાન રાજનીતિજ્ઞ ચાણક્યનો અભ્યદય, નંદ રાજ્યનું પતન અને મૌર્ય રાજ્યનો ઉદય - આ એમના સમયની પ્રમુખ-મુખ્ય રાજનૈતિક ઘટનાઓ છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 269099969696969696969] ૧૦૯ ]
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy