SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતકેવળીકાળ વી. નિ. સં. ૬૪માં કેવળીકાળની સમાપ્તિની સાથે જ શ્રુતકેવળીકાળનો પ્રારંભ થયો. શ્રુતકેવળીનો અર્થ છે - સમસ્ત શ્રુતશાસ્ત્ર અર્થાત્ દ્વાદશાંગીના કેવળી સમાન પારગામી જ્ઞાતા અને વ્યાખ્યાતા. આગમમાં શ્રુતકેવળીને જીવ-અજીવ આદિ સમસ્ત તત્ત્વોના વ્યાખ્યાનમાં કેવળી સમાન જ સમર્થ બતાવવામાં આવ્યા છે. શ્વેતાંબર પરંપરાની માન્યતાનુસાર શ્રુતકેવળીકાળ વી. નિ. સં. ૬૪ થી વી. નિ. સં. ૧૭૦ સુધી રહ્યો અને શ્રુતકેવળીકાળની એ ૧૦૬ વર્ષની અવધિમાં નિમ્નલિખિત ૫ શ્રુતકેવળી થયા : વી. નિ. સં. ૬૪ થી ૭૫ વી. નિ. સં. ૭૫ થી ૯૮ વી. નિ. સં. ૯૮ થી ૧૪૮ વી. નિ. સં. ૧૪૮ થી ૧૫૬ વી. નિ. સં. ૧૫૬ થી ૧૭૦ પ્રભવ સ્વામી સયંભવ સ્વામી યશોભદ્ર સ્વામી સંભૂતવિજય સ્વામી ભદ્રબાહુ સ્વામી દિગંબર પરંપરાના અધિકાંશ ગ્રંથો અને પ્રાયઃ બધી પટ્ટાવલીઓમાં વિ. નિ. સં. ૬૨ થી વી. નિ. સં. ૧૬૨ સુધીનો બધો મેળવીને ૧૦૦ વર્ષનો શ્રુતકેવળીકાળ માનવામાં આવ્યો છે. દિગંબર પરંપરા સંમત ૫ શ્રુતકેવળીઓનાં નામ અને એમનો આચાર્યકાળ આ પ્રમાણે છે : વિષ્ણુનંદિ અપરનામ નંદિ વી. નિ. સં. ૬૨ થી ૭૬ નંદિમિત્ર વી. નિ. સં.૭૬ થી ૯૨ અપરાજિત વી. નિ. સં. ૯૨ થી ૧૧૪ ગોવર્ધન વી. નિ. સં. ૧૧૪ થી ૧૩૩ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) CC
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy