SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૪ પંચસંગ્રહ-૨ અહીં જે વેદના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થયો હોય તે વેદનો ઉદયવિચ્છેદ થયા પછી અન્યવેદનો ઉદય થતો નથી તેથી આત્મા અવેદી થાય છે. પરંતુ સંજવલન કષાયો માટે તેમ નથી. કારણ કે જો ક્રોધોદયે શ્રેણિ ઉપર આરૂઢ થયો હોય તો ક્રોધના ઉદયનો વિચ્છેદ થયા બાદ ક્રમશઃ માન, માયા અને લોભનો. સંજવલન માનોદયે શ્રેણિ ઉપર ચઢ્યો હોય તો માનનો ઉદયવિચ્છેદ થયા બાદ ક્રમશઃ માયા અને લોભનો, સંજવલન માયાના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થયો હોય તો માયાનો ઉદયવિચ્છેદ થયા બાદ સંજવલન લોભનો ઉદય થાય છે. અને સંજવલન લોભના ઉદયે શ્રેણિ પર ચડ્યો હોય તો નવમા ગુણકસ્થાનકના ચરમ સમય સુધી બાદર લોભનો જ ઉદય હોય છે. અને પછી દશમા ગુણસ્થાને સૂક્ષ્મ લોભનો ઉદય હોય છે. અનુદિત પ્રકૃતિઓની આવલિકા પ્રમાણ પ્રથમ સ્થિતિ સ્તિબુક સંક્રમથી વેદ્યમાન પ્રકૃતિઓમાં સંક્રમાવી ભોગવી દૂર કરે છે અને વેદ્યમાન પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ ભોગવીને સત્તામાંથી દૂર કરે છે. જે પ્રકૃતિઓનો બંધ અને ઉદય ચાલુ હોય તે પ્રકૃતિઓના અંતરકરણનાં દલિકો ત્યાંથી લઈ અંતરકરણની ઉપરની અને નીચેની એમ બન્ને સ્થિતિઓમાં પ્રક્ષેપે છે. જે પ્રકૃતિઓનો કેવલ બંધ હોય પણ ઉદય ન હોય તે પ્રકૃતિઓના અંતરકરણનાં દલિકોને પોતાની ઉપરની સ્થિતિમાં, જે પ્રકૃતિઓનો બંધ ન હોય પરંતુ કેવલ ઉદય હોય તે પ્રકૃતિઓના અંતરકરણનાં દલિતોને પોતાની પ્રથમ સ્થિતિમાં, તેમજ જે પ્રકૃતિઓનો બંધ કે ઉદય બેમાંથી એકે ન હોય તે પ્રકૃતિઓના અંતરકરણનાં દલિકોને બધ્યમાન સ્વજાતીય પરપ્રકૃતિમાં પ્રક્ષેપે છે. જેમ પુરુષવેદના ઉદયે શ્રેણિ માંડનારને પુરુષવેદનો બંધ અને ઉદય બને હોવાથી તેના અંતરકરણનાં દલિકોને નીચેની અને ઉપરની એમ બન્ને સ્થિતિઓમાં નાખે છે. સ્ત્રીવેદ અથવા નપુંસકવેદના ઉદય શ્રેણિ માંડનારને પુરુષવેદનો બંધ હોય છે પરંતુ ઉદય ન હોવાથી પુરુષવેદના દલિકોને માત્ર બીજી સ્થિતિમાં, સ્ત્રીવેદે શ્રેણિ માંડનારને સ્ત્રીવેદનો ઉદય હોય છે. પરંતુ બંધ હોતો નથી માટે તેના અંતરકરણનાં દલિકોને પ્રથમ સ્થિતિમાં અને મધ્યમના આઠ કષાય તેમજ હાસ્યષક આ ચૌદ પ્રકૃતિઓનો બંધ કે ઉદય બેમાંથી એકે ન હોવાથી તે પ્રકૃતિઓના અંતરકરણનાં દલિતોને બધ્યમાન સંજવલન કષાયોમાં સંક્રમાવે છે. " શંકા-સંજ્વલન ક્રોધ-માન-માયા અને લોભના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને ક્રોધાદિ ચારેની પ્રથમ સ્થિતિ પોત-પોતાના ઉદયકાળ પ્રમાણ હોવાથી ત્યાં સુધી ક્રોધાદિનો ઉદય હોઈ શકે, પરંતુ અન્ય ત્રણ સંજ્વલન કષાયની પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણ જ હોય છે, અને તે પણ નપુંસક વેદાદિના ઉપશમ થયા પહેલાં જ સ્તિબુક સંક્રમથી દૂર થઈ જાય છે. અને પછી તો અંતરકરણરૂપ ખાલી જગ્યા જ હોય છે. તેથી ક્રોધના ઉદયે શ્રેણિ માંડનારને ક્રોધના ઉદયવિચ્છેદ પછી ક્રમશઃ માનાદિ ત્રણનો, માનના ઉદયે શ્રેણિ માંડનારને માનના ઉદયવિચ્છેદ થયા પછી માયાદિ બેનો, અને માયાના ઉદયે શ્રેણિ માંડનારને માયાનો ઉદયવિચ્છેદ થયા પછી લોભનો ઉદય ક્યાંથી થાય ? કારણ કે ત્યાં તે તે પ્રકૃતિઓના ભોગવવા યોગ્ય દલિકોનો જ અભાવ છે. સમાધાન–જેમ ક્ષપકશ્રેણિમાં જે જે કષાયોના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થયેલ હોય તે તે કષાયનો ઉદયવિચ્છેદ થાય ત્યારે દ્વિતીય સ્થિતિમાં રહેલ પછી પછીના કષાયનાં દલિકોને
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy