SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૬ પંચસંગ્રહ-૨ અસંખ્ય પ્રકારની અને સ્કૂલ દૃષ્ટિએ છ પ્રકારની વિશુદ્ધિ આશ્રયી તરતમતા હોય છે અને તેથી જ આ અધ્યવસાયો પસ્થાન વૃદ્ધ અથવા પસ્થાન પતિત કહેવાય છે. અહીં દરેક સમયમાં અધ્યવસાયો તદ્દન નવા હોવાથી અપૂર્વકરણના પ્રથમ સમયના જે એકસો અધ્યવસાયો છે, તેમાંના દ્વિતીયાદિ અધ્યવસાયોની અપેક્ષાએ પ્રથમ અધ્યવસાયની વિશુદ્ધિ અત્યંત અલ્પ છે. છતાં યથાપ્રવૃત્તકરણના ચરમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિની અપેક્ષાએ તો અનંતગુણ હોય છે અને અપૂર્વકરણના પ્રથમ સમયના પ્રથમ અધ્યવસાયની વિશુદ્ધિની અપેક્ષાએ સર્વોત્કૃષ્ટ અંતિમ-એકસોમા અધ્યવસાયની વિશુદ્ધિ અનંતગુણ છે. અને તે પ્રથમ સમયના એકસોમાં અધ્યવસાયની વિશુદ્ધિ થકી બીજા સમયની જઘન્ય, તે થકી તે જ બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે. તે થકી ત્રીજા સમયની જઘન્ય અને તે થકી પણ તે જ ત્રીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ છે. એમ પૂર્વ-પૂર્વના સમયથી ઉપર-ઉપરના પછીના સમયની જઘન્ય અને પછી તે જ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોવાથી દ્વિચરમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ થકી પચીસમા સમયરૂપ ચરમ સમયની જઘન્ય અને તે થકી તે પચીસમા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે. તેમ જ આ કરણમાં પૂર્વ-પૂર્વ સમયથી ઉત્તરોત્તર પછી-પછીના સમયમાં પહેલાં કોઈવાર ન આવ્યા હોય તેવા અનંતગુણ વિશુદ્ધિવાળા ચડતા પરિણામ હોય છે. તેથી આ અપૂર્વકરણમાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અને અપૂર્વસ્થિતિબંધ આ ચાર પદાર્થો પૂર્વ કોઈવાર ન કર્યા હોય તેવા નવીન કરે છે માટે પણ તેનું અપૂર્વકરણ નામ યથાર્થ છે. (૧) સ્થિતિઘાત : . બંધાદિ વખતે છેલ્લા ટાઇમમાં ભોગવવા યોગ્ય જે દલિક રચના થઈ હોય તે સ્થિતિનો અગ્રભાગ કહેવાય છે. તે આયુષ્ય વિના સાત કર્મસ્થિતિના અગ્રભાગથી ઉત્કૃષ્ટથી ઘણા સેંકડો સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનમાં રહેલ એટલે તેટલા કાળમાં ભોગવવા યોગ્ય દલિકોને અપવર્તનાકરણ દ્વારા અંતર્મુહૂર્તમાં તેની નીચેની જે સ્થિતિઓનો ઘાત નથી થતો તે સ્થિતિઓમાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરી ઉપરની ઘણા સેંકડો સાગરોપમ પ્રમાણ અથવા પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ કર્મની સ્થિતિસત્તા ઓછી કરવી તે એક સ્થિતિઘાત કહેવાય છે. (જુઓ યંત્ર નં. ૧) ત્યારબાદ પુનઃ પ્રથમ ઓછી કરેલ સ્થિતિસત્તાની નીચેના પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોને અપવર્તનાકરણ દ્વારા ઉતારી અંતર્મુહૂર્વકાળમાં નીચે જે સ્થિતિઓનો ઘાત નથી કરવાનો તે સ્થિતિસ્થાનોમાં બંધાદિ સમયે ગોઠવાયેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરી તેટલી સ્થિતિ સત્તામાંથી ઓછી કરવી તે બીજો સ્થિતિઘાત. એમ પહેલાં-પહેલાંની ઓછી કરેલ સ્થિતિસત્તાની નીચે નીચેના પલ્યોપમના સંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિવાનોગત દલિકોને ત્યાંથી સાફ કરી નીચે નીચેનાં સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરી હજારોવાર પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિઓ
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy