SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમઢાર ૫૧૫ આશ્રયી ઓગણત્રીસ અને ત્રીસ આદિ જાણવા. બીજા ત્રેવીસાદિ ભૂયસ્કાર સંભવતા નથી તેનું કારણ પહેલાં કહ્યું છે. તથા અલ્પતરોદય નવી છે અને તે ચોત્રીસ વિના સઘળા સમજવા. તથા વિગ્રહગતિમાં વર્તમાન ક્ષાયિક સમ્યક્તી અવિરતિ સમ્યગ્દષ્ટિને ચુંમાળીસનો ઉદય હોય છે. તે આ પ્રમાણે–જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, તથા નિદ્રાનો ઉદય ન હોય ત્યારે ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ એ દર્શનાવરણીય ચાર, અનંતાનુબંધી વર્જિત અપ્રત્યાખ્યાનાવરણાદિ ક્રોધાદિ ત્રણ કષાય, ત્રણ વેદમાંથી એક વેદ અને બે યુગલમાંથી કોઈપણ એક યુગલ એ પ્રમાણે મોહનીયકર્મની છે, એમ ઘાતિકર્મની વસ, તથા ચાર ગતિમાંથી કોઈપણ એક ગતિ, ચાર આનુપૂર્વીમાંથી ગતિને અનુસરતી એક આનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ-દુર્ભાગમાંથી એક, આદય-અનાદયમાંથી એક, યશકીર્તિ-અયશ-કીર્તિમાંથી એક, નિર્માણ, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તૈજસ, કાર્મણ, વર્ણાદિક ચતુષ્ક એ રીતે નામકર્મની એકવીસ, ચાર આયુમાંથી એક આયુ, બે વેદનીયમાંથી એક વેદનીય, અને બે ગોત્રમાંથી એક ગોત્ર એ સઘળીનો સરવાળો કરતાં અઘાતિકર્મની ચોવીસ, સઘળી મળી ચુંમાળીસ પ્રવૃતિઓ થાય. - ઓછામાં ઓછી એ ચુંમાળીસ પ્રવૃતિઓનો ઉદય વિગ્રહગતિમાં વર્તમાન ક્ષાયિક સમ્યક્તીને હોય છે. પાંત્રીસ આદિ કોઈપણ ઉદયસ્થાનકો સંભવતાં નહિ હોવાથી ચુંમાળીસથી શરૂઆત કરે છે. તે ચુંમાળીસમાં સમ્યક્વમોહનીય, ભય અને જુગુપ્સામાંથી કોઈપણ એક પ્રકૃતિ ઉમેરતાં પિસ્તાળીસનો ઉદય થાય. સમ્યક્ત મોહનીય અને ભય, અથવા સમ્યક્વમોહનીય અને જુગુપ્સા, અથવા ભયે અને જુગુપ્સા એમ બન્ને પ્રકૃતિ ઉમેરતાં છેતાળીસનો ઉદય થાય તથા સમ્યક્વમોહનીય ભય અને જુગુપ્સા એ ત્રણે ઉમેરતાં સુડતાળીસ પ્રકૃતિનો ઉદય થાય. - ૧. અલ્પતરોદય નવ આ પ્રમાણે–ચોગના રોધ કાળે એકત્રીસ અને બત્રીસના ઉદયે વર્તતા સામાન્ય કેવળી અને તીર્થંકરો અયોગીપણાને પ્રાપ્ત કરે ત્યારે તેઓને અગિયાર અને બારનો ઉદય થાય. છે. તથા જયારે સમુઘાત કરે ત્યારે તે બંનેને બીજે સમયે ઔદારિકમિશ્રયોગે વર્તતા સ્વર આદિ પ્રકૃતિનો ઉદય ઓછો થાય ત્યારે ત્રીસ અને ઓગણત્રીસનો ઉદય થાય અને કાર્પણ કાર્પણ કાયયોગે વર્તતા પ્રત્યકાદિ છ પ્રકૃતિઓનો ઉદય ઓછો થાય ત્યારે ચોવીસ અને ત્રેવીસનો ઉદય થાય. અને યોગનો રોધ કરતાં પૂર્વે કહ્યા તે પ્રમાણે ત્રણ અલ્પતર થાય એટલે ૧૧-૧૨-૩૦-૨૯-૨૪-૨૩-૩૩-૩૨ અને ૩૧ એ નવ અલ્પતરોદય થાય છે. ૨. અહીં સમ્યક્વમોહનીયનો ઉદય ક્ષાયોપશમ સમ્યક્વીને જ હોય છે. એટલે જ્યાં જ્યાં સમ્યક્વમોહનીયનો ઉદય લીધો હોય ત્યાં તે ઉદયસ્થાનવાળો ક્ષાયોપથમિક સમ્યક્તી હોય છે તેમ સમજવું. તથા ભય-જુગુપ્સાનો ઉદય દરેકને હોય જ છે એમ નથી પરંતુ કોઈ વખતે બેમાંથી એકનો, કોઈ વખતે બંનેનો ઉદય હોય છે, અને કોઈ વખતે બેમાંથી એકનો પણ ઉદય હોતો નથી તેથી જ વારાફરતી ઉમેરવાના દેવ. નારકીઓને અપર્યાપ્તાવસ્થામાં નિદ્રાનો ઉદય તેમ લાગતું નથી. મનુષ્યતિર્યંચને સંભવે છે કેમ કે તેના ઉદયમાં ગણેલ છે. ચુંમાળીસનો ઉદય દેવ-નારક આશ્રયી લીધો હોય તેમ લાગે છે, કારણ કે ચુંમાળીસના ઉદયસ્થાનમાં નિદ્રા વધારીને ઉદયસ્થાન વધાર્યું નથી. પછી જ્ઞાની મહારાજ જાણે.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy