SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ [ જેની દષ્ટિએ તિથિદિન અને પર્વારાધન.... જૈન પર્વ તીથી નિર્ણયને ફણગે. અમદાવાદના “ભારત” પત્રના તંત્ર સામે લક્ષ્મીચંદ હીરજીના કેસમાં થયેલું સમાધાન અમદાવાદમાં પ્રગટ થતા ભારત દેનિક પત્રના તા. ૪-૫-૧૯૪૫ના અંકમાં કેટલીક વિગતો.. ઉપરાંત બે પત્રો જે મુંબઈના શ્રી ૯મીચંદ હીરજીએ તા. ૫-૪-૧૯૪૩ અને ૮-૪-૧૯૪૩ના લખેલ હોવાનું કહેવામાં આવે છે તે પત્રો તથા તેની નીચે કેટલીક ટીકા પ્રગટ કરવામાં આવી હતી. એ વાત જાણીતી છે કે તપાગચ્છ સંઘના બે વિદ્વાન આચાર્યો શ્રીમાન રામચંદ્ર સુરીશ્વરજી તથા શ્રી સાગરાનંદ સુરીશ્વરજી વચ્ચે સંવત ૧૯૯૨ ની સાલથી પર્વતીથી સંબંધે મતભેદ હતે. આ . મતભેદને અંત આણવા શેઠ કરતુરભાઈ લાલભાઈના પ્રયાસથી બંને આચાર્યોને કેસ પુનાવાલા વિદ્વાન પ્રોફેસર ડો. પી. એલ. વૈદને લવાદ તરીકે સેવામાં આવ્યો હતો. તેમણે પિતાને નિર્ણય જાહેર કર્યા બાદ તે નિષ્પક્ષપાતી નથી એમ ઠસાવવાને શ્રી સાગરાનંદ સુરીશ્વરજીના પક્ષકાર તરફથી પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને તેના અંગે એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે મજકુર શ્રી લક્ષ્મીચંદ હીરજીએ પ્રાકેશર ડો. ઉંદ પાસેથી શ્રીમાન રામચંદ્ર સુરીશ્વરજીની તરફેણમાં ચુકાદો મેળવવા પ્રયત્ન કર્યા હતા. અને તેના સમર્થનમાં ઉપર જણાવેલા બે પત્રોના બ્લેકે કેટલીક ટીકા સહીત પ્રગટ કરવામાં આવ્યા હતા. આ ઉપરથી શ્રી લક્ષ્મીચંદે પિતાની થયેલી બદનક્ષી બદલ રૂ. ૨૦૦૦૦ ની નુકશાની મેળવવા મજકર પત્રના અધીપતી શ્રી નટવરલાલ એન. દેશાઈ ઉપર મુંબઈની વડી અદાલતમાં એક દા કરેલ. પ્રતીવાદી શ્રી દેસાઈએ બચાવનામું દાખલ ન કરવાથી એ દાવાની એક તરફી સુનાવણી નામદાર ન્યાયમુતી કયાજી સમક્ષ તા. ૧૬-૪-૪૬ ના રોજ થઈ હતી. વાદીની જુબાની લીધા બાદ કોર્ટે વાદીની તરફેણમાં રૂ. ૩૦૦૦ નુ હુકમનામુ ખર્ચ સહીત કરી આપ્યું હતું. તે વખતે વાદી તરફથી તેમના સેલસીટર મેસર્સ મીનાચેહર મનચેરશાહ, હીરાલાલ કંપનીવાલા, શ્રી પદમશી દામજી ખોનાની ફરમાસથી શ્રી. શેવકલાલ કરાણી બેરીસ્ટર હાજર થયા હતા. ત્યાર બાદ પ્રતીવાદીએ એ હુકમનામું રદ કરાવવા એક અરજી અદાલતને કરેલ જેની સુનાવણી નામદાર ન્યાયમત ચાગલા સમક્ષ તારીખ ૨૫-૬-૪૬ના નીકળેલ તે વખતે બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે એક પક્ષી થયેલ હુકમનામુ રદ કરી એવો હુકમ કર્યો હતો કે પ્રતીવાદીએ રૂ. ૩૦૦૦ કોર્ટમાં ડીપોઝીટ તરીકે ત્રણ અઠવાડીયામાં ભરવા તેમજ વાદીને ખર્ચ પેટે રૂ. ૪૭૦ ભરવા, અને પિતાનું બચાવનામુ ત્યાર પછી દાખલ કરવું. વાદી તરફથી નામદાર એડવોકેટ જનરલ તથા પ્રતીવાદી તરફથી મી. અમીન બેરીસ્ટર હાજર થયા હતા. આ હુકમ થયા પછી પ્રતીવાદી વાદીને મળીને દાવાની ઘરમેળે પતાવટ કરી છે. જેને પરીણામે તેમણે એવું કહ્યું છે કે મજકુર બે પાના તૈયાર બ્લેકે તથા મેટર જાહેર ખબર તરીકે પ્રગટ કરવા અમદાવાદના “જન ધર્મ પ્રભાવક સમાજ”ના પ્રમુખ શ્રી ચીમનલાલ મંગળદાસે તેઓને આપેલ... ઉપરાંત રૂ. ૫૦૦ દાવાના ખર્ચ તરીકે તેમને વાદીને આપ્યા છે તથા પોતાના ભારત પત્રના મેં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy