SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ [ જૈન દષ્ટિએ તિથિરિન અને પવરાધન... પર્વ અને અપર્વતિથિઓને સંકર વગેરે અને આરાધનાને સંકર વગેરે દેશે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કપે છે, તે દે શાસ્ત્રોમાં જણાતા નથી તેથી, અને એવા દોષ થાય ત્યારે પ્રાયશ્ચિત્ત કરવાનું વિધાન નહિ હોવાથી, તે દેષ રૂપ નથી જ. (૪) “વૃદ્ધ વાર્થી તથોર' એ શાસ્ત્રને આ અર્થ છે-ટિપ્પણુમાં તિથિની વૃદ્ધિ જણાય ત્યારે આરાધના વગેરે માટે પાછલી એટલે બીજી તિથિ સ્વીકારવી. વૃદ્ધિ પામેલી તિથિ બે વારે ઉદયને સ્પર્શે છે એટલે તેમાંની) કઈને ઔદયિકી ગણવી એ સંદેહ થયે છતે વૃદ્ધ વાર્તા તથોત્તર એવા નિયમવિધિ કરનારા શાસ્ત્ર વડે પછીની તિથિનું જ ઔદયિકીપણું નક્કી થાય છે. લૌકિક ટિપ્પણમાં આવતી તિથિઓ વૃદ્ધિ પામે ત્યારે આગલી અને આગલીની આગલી તિથિની વૃદ્ધિ ગણવાની બાબતમાં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જે પ્રમાણે અને શાસ્ત્રો રજુ કર્યા છે તેનું પ્રામાણ્ય અને શાસ્ત્રત્વ અસિદ્ધ જ રહે છે. છતવ્યવહારના બળથી તે સિદ્ધ થાય છે એમ જે કહેતા હોય, તે છતવ્યવહારની સાબીતી માટે જે ચાર અંશે લેવા જોઈએ, તે અધુરા રહેતા હોવાથી છતવ્યવહાર પણ અસિદ્ધ રહે છે. આ પ્રમાણે અષ્ટમીની વૃદ્ધિ હોય ત્યારે બીજી અષ્ટમી, ચતુર્દશીની વૃદ્ધિ હોય ત્યારે બીજી ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યા બે દિવસે હોય ત્યારે બીજી પૂર્ણિમા અને બીજી અમાવાસ્યા, ભાદ્રપદની સુદ ચતુર્થીની વૃદ્ધિ હોય ત્યારે બીજી ચતુર્થી જ ગ્રહણ કરવી. ભાદ્રપદ સુદ પાંચમનું તો પ્રધાન પર્વતિથિપણું જ ચાલ્યું ગયું છે, એમ અમે આગળ અનેક વાર કહી ગયા છીએ. વૃદ્ધિ પામેલી તિથિને પહેલો દિવસ અધિક માસની પેઠે નપુંસક છે તેથી તે આરાધના માટે ઉપયોગી નથી જ. તિથિને ઉપયોગ ન કરાય તો તેને માટે શાસ્ત્રમાં કયાઈ કશું પ્રાયશ્ચિત્ત જોવામાં આવતું નથી, તેથી તિથિના તેવા અનુપયોગમાં દેષ જેવું કાંઈ નથી. (૫) તિથિઓની વૃદ્ધિ અને ક્ષયના વિષયમાં, તિથિઓને ફેરફાર કરવાનું આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ શાસ્ત્રસિદ્ધ તરીકે જે રજુ કર્યું છે તેને તપાગચ્છનાં શાસ્ત્રો અનુમત થતાં નથી જ. આ વિષયમાં તેમણે રજુ કરેલ જીતવ્યવહાર પણ શાસ્ત્રથી સિદ્ધ થતો નથી. (૬) સાંવત્સરિક પ્રતિક્રમણ એ તિથિનિયત આરાધના છે. તે ટિપ્પણ પ્રમાણે આવતી ભાદ્રપદની સુદ ચતુર્થીએ આરાધવી. કાલકાચાર્ય, કેઈ રાજાની વિનંતિને માન આપીને, ભાદ્રપદ સુદ પંચમીએ નિયત થયેલા તે દેશના ઈન્દ્રમહ ઉત્સવ સાથે વિરોધ ન થાય તે માટે અને ષષ્ટીએ સ્થાપતાં શાસ્ત્રવિરોધને ભય હતું તે માટે, તે ચતુર્થીએ સ્થાપી છે અને શ્રી તપાગચ્છના સર્વ જૈન સંઘે પણ તેને માન્ય રાખી છે. એ રીતે જીતવ્યવહારથી સિદ્ધ થયેલી ભાદ્રપદ સુદ ચતુર્થી જ સાંવત્સરિક પ્રતિકમણની નિયત તિથિ છે. તેને લીધે પાક્ષિક અને ચાતુર્માસિક પ્રતિકમણને માટે ચતુર્દશી નિયત તિથિ છે. ભાદ્રપદ સુદ પંચમીનું પ્રધાન પર્વતિથિપણું જ ટળી ગયું છે, તેથી તેની વૃદ્ધિ અને ક્ષય નિમિત્તે શાસ્ત્રથી અસિદ્ધ તૃતીયાની વૃદ્ધિ કે ક્ષય ચલાવ તે કદાગ્રહ જ છે. (૭) આષાઢની પૂર્ણિમાથી આરંભીને, અથવા ચોમાસાના દિવસ એટલે આષાઢ સુદ ચતુશીથી આરંભીને, ભાદ્ર સુદ ચતુર્થી સુધીમાં જે એક માસ ને વીસ રાત્રિની ગણના શાસ્ત્રોમાં જણાય છે તે પ્રાયાવાદ (આશરાની ગણના) જ છે. એ જ પ્રમાણે ભાદ્ર સુદ ચતુર્થીથી શરૂ કરીને કાર્તિક સુદ ચતુર્દશી સુધીમાં જે સિત્તેર રાત્રિની ગણના છે તે પણ પ્રાયવાદ છે. પ્રાયઃ ઘણા સંવત્સરેમાં તેની ગણના પૂરી થાય જ છે. શ્રાવણ કે ભાદ્રપદાદિ અધિક માસ આવે ત્યારે તે દિનગણના શાસ્ત્રનિર્દિષ્ટ સંખ્યાને મળતી આવતી નથી જ. તે પ્રસંગે તપાગચ્છીય જૈને જેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy