SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ પાનદીપિકા [ ર૮૫] - - - - આગળથી જ મન ઉપર તેવા કાર્યનું પરિણામ શું આવે છે કે આવશે તેનો મજબૂત સંસ્કાર સ્થાપના કરી દે કે જેથી તેવા કાર્યમાં પ્રવૃત્તિ કરતાં મનને અટકાવી શકાય, અગર તેવી પ્રવૃત્તિ કરવાના પ્રસંગે તેનાં ભાવિ ફળે નજર આગળ તરતાં હોવાથી અને મન ઉપર પણ તેના ભાવિ પરિણામની ચેકસ અસર થયેલી હોવાથી પૂર્વાપર વિચાર કર્યા વિના કરાતી પ્રવૃત્તિ અટકાવી શકાય. આ માટે અપાયસંબંધી વિચાર કરે તેનું નામ અપાયવિચય ધ્યાન છે. રાગ, દ્વેષ. કપાય અને આશ્રવની ક્રિયાઓમાં વર્તતા આ જીવોને આ લેક અને પરલોકમાં નાના પ્રકારના કો થાય છે, મજીઠની માફક રાગી છે વિવિધ પ્રકારના કરો સહન કરે છે, મહાન વ્યાધિથી ઘેરાયેલા મનુષ્ય કુપથ્ય અન્નના અભિલાષથી જેમ રોગમાં વધારો કરે છે, તેમ રાગી મનુષ્ય દીર્ઘ સંસાર પરિભ્રમણમાં વધારો કરે છે. દ્વેષરૂપ દાવાનળ જ્ઞાનાદિ ગુણરૂપ વૃક્ષોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. વૃક્ષના મૂળમાં- કેટરમાં-રહેલા અગ્નિ જેમ વૃક્ષને નવપલ્લવિત થવા દેતો નથી તેમ છેષરૂપ અગ્નિ જેમના હદયમાં વસે છે તેઓના સમ્યક્ત્યાદિ ગુણે કોઈ પણ રીતે વિકાસ પામતા નથી. વૈષરૂ૫ અગ્નિથી તપ્ત થયેલા છે આ લેકમાં તે દુઃખી થાય છે એટલું જ નહિ પરંતુ પરલેકમાં નરકાદિ ગતિ પામી મહા દુઃખને તેમને અનુભવ કરવો પડે છે. જ્યાં સુધી શ્રેષને તાપ હૃદયમાં હોય છે ત્યાં સુધી જ્ઞાનાદિ ગુણોની શાંતિ-શીતળતા પાસે પણ આવતી નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy