SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૨૫૫ ] માણસ દુર્ગણી બને છે. કારણ કે એકની ભાવના ગુણ જોવાની છે, તેનું અંતઃકરણ ગુણનું જ મનન કરે છે, ગુણોનું જ શોધન કરે છે અને તેની મજબૂત ભાવનાની અસર મન ઉપર દઢ થતાં તેમાં સગુણ જ નિવાસ કરીને રહે છે. જે માણસ અન્યના દે શેધ્યા કરે છે, છિદ્રો તપાસ્યા કરે છે, તેની ભાવના દોષ જેવાની જ હોય છે, તેનું મન નિરંતર દોષ જ શોધ્યા કરે છે, દેનું જ મનન કરે છે અને દોષના જ સંસ્કાર દઢ કરે છે, તે દેષમાત્ર થાય છે. જે ભાવનામાં જેનું મન વાસિત થાય છે તેમાંથી તે જ ભાવનાની સુંગધ કે દુગધ નીકળવાની જ. માટે મનુષ્યને ખરેખર યોગ્ય તે તે જ છે કે ગુણોની તપાસ રાખવી. ચાળણ જેવા ન થવું, પણ કીડીનું અનુકરણ કરવું. અનાજમાં કાંકરા હોય છે ત્યારે ચાળણીથી ચાળવામાં આવે છે પોતે અનાજ નીચું ઊતરી જાય છે. છિદ્રો દ્વારા દાણા નીચે ઝરી જાય છે અને ચાળણીની અંદર તો કાંકરા જ રહે છે. આવી જ રીતે મનુષ્યો ગુણરૂપી અનાજને તે મૂકી દે છે અને દેષરૂપી કાંકરાઓ ગ્રહણ કરે છે, આનું પરિણામ એ આવે છે કે માણસના હાથમાં ચાળણીની માફક કાંકરા જ રહે છે, અને ગુણરૂપ અનાજ તે નીચે ફેંકી દેવાય છે. કીડીનું અનુકરણ આ પ્રમાણે છે કે ગમે તેવી ઝીણી રેતી કે પથરીની અંદર અથવા ધૂળમાં, ખાંડ વેરવામાં આવી હેય તે પણ કીડીઓ ખાંડ વીણીને ખાઈ જાય છે અને કાંકરી, રેતી કે ધૂળને તેમ જ રહેવા દે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy