SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ અથ (સિદ્ધી પૂછે છે –). એ અનાહત નાદ, જેનાથી ભવસાગર તરી જવાય છે (એમ કહો છો), તેનો વાસ (પવન વિના વળી) ક્યાં હોય? “આપણે શ્વાસોચસ વખતે) દશ આંગળ પવન બહાર કાઢીએ છીએ (તેથી જ આ સંસાર ઊભો થાય છે), તે પવનને (યોગ સિવાય) બીજું કોણ ટેકવી - સ્થિર કરી શકે? એ પવન બોલ્યા કરતો હોય, ખેલ્યા કરતો હોય – અસ્થિર રહ્યા કરતો હોય, ત્યાં સુધી અલખનાં – પરમાત્માનાં દર્શન કેમ કરીને થાય?”૪' (નાનક જવાબ આપે છે – “હે સ્વામી, સાંભળો, મેં આ બાબત મારા મનમાં પાકી ગાંઠ વાળી છે – “ગુરુ પાસેથી પામેલા નામથી સત્ય-પરમાત્મામાં લગની લાગે. એટલે પછી પરમાત્મા પોતે જ કૃપા કરીને તેનો) પોતાની સાથે મિલાપ કરાવે. (આમ પરમાત્માની કૃપા જેના ઉપર ઊતરી) તેને સાચી સમજ અને પ્રજ્ઞા પ્રાપ્ત થાય. પૂરો ભાગ્યશાળી એવો તે પરમાત્મામાં સમાઈ જાય. [૫૮] ૧. સવઃ | ૨. ૐ સત | ત્રણ અને સાત એટલે દશ. ૩. અર્થાત આખ સંસાર ઊભો થાય છે. ૪. અર્થાત્ પવનની સાધના – પ્રાણાયામ – યોગાદિ ન કરીએ છે, કેમ કરીને પરમાત્માનાં દર્શન થાય એવી સિદ્ધ યોગીઓની ટકોર છે. પ. મૂળમાં નાનg prā એટલું વધારે છે. નાનકની અરજ છે કે'- એવો શિષ્ટાચારનો પ્રયોગ છે. ૬. અને મને સમન્ના / ૭. મૂળમાં ગુરમુવિ સર્વે / ગુરુ પાસેથી પામેલા નામથી. ૮. નવરી ૯. રાની – વીના છે તેને સત્ય કે તત્ત્વ જાણવામાં કશી મુશ્કેલી કે ભ્રમ રહેતાં નથી. “તે પરમાત્મા સાચે દાનેશરી છે તથા બધું જનારે – જાણનારો છે; પૂરો ભાગ્યશાળી જ તેનામાં સમાઈ જાય '- એવે અર્થ પણ થાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy