SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જરથુસ્ત્ર પાંખડીની મધુરતા છે, ત્યારે “ઝોરેસ્ટર’ શબ્દ તે જાણે કોઈ ભયંકર યાંત્રિક હેનારત જેવો લાગે છે. ઝરથુસ્ત્ર પતે જ પિતાનું નામ ‘ઝોરોસ્ટર’ થયેલું જોઈ હસ્યા હશે. ફ્રેડરિક નિએ તેમને જાહેરમાં આણ્યા તે પહેલાં તે ભુલાઈ જ ગયા હતા, અને ભુલાઈ ગયા હોય તે તેમાં નવાઈ પામવા જેવું પણ શું છે? કારણ કે, મુસલમાનોએ ઝરથુસ્ટના બધા અનુયાયીઓને બળાત્કારે વટલાવીને મુસલમાન બનાવી દીધા હતા. ડાક – બહુ થોડા –લોકો ભારતમાં નાસી છૂટયા. અને ભારત સિવાય બીજે જાય પણ કયાં? 'કારણ કે, ભારતમાં કોઈ પાસપોર્ટ કે વિસા વિના કોઈ માણસ વિના કશી રોકટોક પ્રવેશ કરી શકે છે. મુસલમાન હત્યારાઓના હાથમાંથી બહુ થોડા જ ઝરથુસ્ત્રના અનુયાયીઓ નાસી છૂટયા હતા. ભારતમાં તેઓની સંખ્યા લાખેક જેટલી જ છે. - હવે લાખ જેટલા માણસેના ધર્મ કે પંથની કોણ પંચાત કરે ? – અને તે લાખ જેટલા પણ માત્ર ભારતમાં જ છે અને તે પણ મોટે ભાગે એક મુંબઈ શહેરમાં કે તેની આસપાસમાં જ. એ લોકો પણ ઝરથુષ્યને ભૂલી જ ગયા છે. તેઓને હિંદુઓ સાથે સમાધાન કરીને જ જીવવાનું હતું. આમ તેઓ કૂવામાંથી નાસી છૂટી પાછા ખાઈમાં જ પડ્યા છે – વધુ ઊંડી ખાઈમાં. કારણ કે સાચો રસ્તો વચ્ચે જ છે - બુદ્ધ તેને “મધ્યમ માર્ગ” કહેતા. બરાબર વચ્ચે જ સાચે માર્ગ હોય – દેરડા ઉપર ચાલનારો જેમ વચ્ચે જ ચાલે છે . તેમ.. નિશેની મોટામાં મોટી સેવા આધુનિક જગતમાં ઝરણુજીને પાછા લાવવાને લગતી છે. તેની મોટામાં મોટી કુનસેવા એડલ હિટલર છે. નિટશે એમ સેવા અને કુસેવા એમ બંને કામ કર્યા છે. જોકે એડોલફ હિટલર માટે નિર્શને જવાબદાર ન કહી શકાય. નિના 2. murderers. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005655
Book TitlePustako Je Mane Gamya Che
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year2002
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy