SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ સરમદા (સાતમી બેઠકના) દશમા અને છેલ્લા તરીકે હું સરમદ (Sarmad)ને રજૂ કરું છું. પૃથ્વી ઉપર ડગલાં ભર્યા હશે એવાં માણસોમાં સૌથી વિચિત્ર માણસ એ છે. તે સૂફી સંપ્રદાયના હતા, અને મસીદમાં જ તેમની કતલ કરવાની સજા મુસલમાન બાદશાહે ફરમાવી હતી. તેમની કતલ કરવાનું કારણ એટલું જ હતું કે, મુસલમાન તેમની પ્રાર્થનામાં બોલે છે કે, “અલા લ ઈલ અલ્લા’ (ઈશ્વર એક જ છે), અને મહંમદ ઇલ રસૂલ અલ્લા' (મહંમદ એકલા જ ઈશ્વરના પેગંબર છે.) સૂફીઓ એ પ્રાર્થનાના બીજા હિસ્સાને માન્ય રાખતા નથી, સરમદને ગુને પણ એ જ હતું. અને વસ્તુતાએ પણ કોઈ એક જ જણ ઈશ્વરને પેગંબર કેવી રીતે હોય? કોઈ એક જ કદી ન હોઈ શકે – ભલે પછી તે મહંમદ હેય, કે જિસસ હેય, મુસા હોય કે બુદ્ધ હોય. સરમદને એમ કહેવા બદલ મારી નાખવામાં આવ્યા, તેમનું ખૂન કરવામાં આવ્યું, તેમની કતલ કરવામાં આવી. હિંદુસ્તાનના એક મુસલમાન બાદશાહે મુસલમાન મુલ્લાઓની સાથે કાવતરું રચીને તેમને મારી નાખ્યા. પણ સરમદ તે છેવટ સુધી હસતા જ રહ્યા અને બોલતા રહ્યા કે “ઈશ્વર એક જ છે. દિલ્હીની મોટી મસ્જિદ – એટલે કે જામા મસ્જિદમાં સરમદની કતલ કરવામાં આવી હતી, તે આજે પણ એ મહાપુરુષની કતલને સંસ્મરણ માટેના પાળિયા તરીકે હજુ ઊભી છે. સરમદની 1. strangest. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005655
Book TitlePustako Je Mane Gamya Che
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year2002
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy