SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ તરન-તારન' : ‘શૂન્ય સ્વભાવ’ ૧. (૧૪મી બેઠકના) ચોથા પુસ્તક તરીકે હું તરનતારનનું ‘શૂન્યસ્વભાવ' પુસ્તક રજૂ કરું છું. G તરન-તારન શબ્દના અર્થ થાય ‘તારણહાર ' (પાર ઉતારનાર – savior). એ એમનું ખરું નામ નથી. ખરું નામ તા કોઈ જ જાણતું નથી. જૈનેાના પણ એક બહુ જ નાના ફિરકામાં હું જન્મ્યો છું. જૈનધર્મ પોતે જ એક નાના સમુદાયના ધર્મ છે — માંડ ત્રીસેક લાખ વાકા જૈન હશે. જૈન ધર્મના બે મુખ્ય ફાંટા છે : દિગંબર અને શ્વેતાંબર. દિગંબરા માને છે કે મહાવીર નિર્વસ્ત્ર જ રહ્યા હતા અને જીવ્યા હતા. ‘દિગંબર' શબ્દનો અર્થ થાય છે ‘આકાશરૂપી વસ્ત્રધારી' – અર્થાત્ નિર્વસ્ત્ર, રૂપકની રીતે તેના અર્થ થાય (કર્મ વગેરેના આચ્છાદન – આવરણ વિનાના) ખુલ્લા – ઉઘાડા (“the naked”). દિગંબર એ જૈનાના જૂનામાં જૂના ફાંટો છે. ત્યારે શ્વેતાંબર શબ્દનો અર્થ થાય છે, શ્વેત – ધવલ વજ્રથી આચ્છાદિત. અને આ સંપ્રદાયના લોકો એમ માને છે કે, મહાવીર પોતે તો નિર્બસ – ઉઘાડા જ વિચરતા હતા, પરંતુ દેવે તેમના શરીર ઉપર અદૃશ્ય એવા ધેાળા વસ્ત્રનું આચ્છાદન કરી રાખતા. ( જેથી લેાકામાં તે ઉચિત રીતે વિચરી શકે.) - ૧. અગ્રેજીમાં ‘Taran Taran' છે. તેનેા ઉચ્ચાર તરણુ-તારણુ કરવા કે તાર-તારણ કરવા એ સમાતું નથી. – સ ૨. metaphorically. Jain Education International ૩૦ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005655
Book TitlePustako Je Mane Gamya Che
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year2002
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy