SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ત્વરિત ગતિએ અયોધ્યાનગરી પહોચીને તે અનરણ્ય રાજાને પોતાના સ્વામીની દીક્ષાના સમાચાર આપીને કહ્યું કેઅમારા સ્વામીએ આપને કહેવરાવ્યું છે- “આપણે બંનેએ સાથે જ દીક્ષા લેવાનો અભિગ્રહ લીધો હતો. મેં દીક્ષા લઈ લીધી છે. તેથી તમારે પણ આના અનુરૂપ કરવું જોઈએ.' કરવા લાગ્યા. હવે મારે પણ પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ. તેઓએ પોતાના પરિવાર સમક્ષ સંયમ ગ્રહણ કરવાની ઈચ્છા જણાવી. યુવરાજ અનંતરથના મનમાં પણ પિતાની વાત સાંભળી વૈરાગ્ય જાગ્યો. એથી તેણે પણ પોતાના પિતાની સાથે-સાથે દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કરી લીધો. આવા પુત્ર બહુ ઓછા હોય છે, જે પિતાના ઉત્તમ માર્ગનું અનુસરણ કરવા માટે તત્પર હોય. સમાચાર સાંભળતાં જ અયોધ્યાપતિ રાજા અનરણ્ય વિચાર HTA કરk Gરી ( હર હર - We g= બાળક દશરથનો કરેલો રાજ્યાભિષેક અનરણ્ય રાજાએ એક મહિનાની વય ધરાવતા પોતાના શિશુ દશરથનો રાજ્યાભિષેક કરાવ્યો તથા યેષ્ઠ પુત્ર અનંતરથની સાથે અભયસેન મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું પોતાના પરિવાર તથા નાના બાળકનો ત્યાગ કરીને દીક્ષા લેવી યોગ્ય છે ? હા, સર્વથા યોગ્ય છે. દરેક વ્યક્તિ પોતાના કર્મો પોતાની સાથે જ લાવે છે, જેમાં પુણ્ય પણ હોય છે અને પાપ પણ હોય છે. તેથી સંયમમાં પ્રવૃત્ત થવાવાળા પુણ્યાત્મા મોહને વશ થઈને ચારિત્ર લેવામાં વિલંબ કરતા નથી. શું પુત્રની બાલ્યાવસ્થામાં પિતાનું મૃત્યુ નથી થતું? શું પિતાના મૃત્યુ પછી બાળકો મોટા નથી થતા? થાય છે. બાળક દશરથ જોતજોતામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy