SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪) દહીંવડા - મેથીના થેપલા - ખમણ - પનોલી વિગેરે તમામમાં છાસ-દહીં ગર્મ કર્યા વગર વપરાય તો દ્વિદળનું ભયંકર પાપ લાગે છે. (૨૪) આગમવાણી ઇંદ્રિયોમાંરસનેન્દ્રિય ઉપરકાબૂ કર્મોમાંમોહનીય કર્મપર વિજય, વ્રતોમાં બ્રહ્મચર્ય, ગુપ્તિમાં મનગુપ્તિ (મનનો કંટ્રોલ) આ ચારેય વસ્તુ જીવનમાં દુર્લભ છે. ૧) વૈદિકવાણી - જિતં કેન? રસો હિ યેન જેણે જીભ પર વિજય મેળવ્યો હોય, એજ સાચો વિજેતા. જો વિવેકના દરવાજા ખુલી જાય, તો લાલીબાઇના તોફાનો બંધ થાય. માણસ ભાણે બેસે ત્યારે એની અસલિયત બહાર આવે છે. વ્યાપાર મેં નરમ, હુકુમત મેં ગર્મ, ધર્મમેંશર્મ. શર્મથી પણ ધર્મમાં આગળ વધાય છે. હું આવા ઉત્તમ કુળમાં, મારાથી આવા અભક્ષ્યો ખવાય? જે બેશર્મ હોય એ ધર્મ માટે નાલાયક ઠરે છે. જેની આંખ માંથી શર્મના જળ સૂકાઇ ગયા હોય, એની સાથે વ્હેલામાં વહેલી તકે છેડો ફાડી નાંખો, ઘણા પાપથી બચી જશો. ૩) જાણ્યા પછી આચરવાની તૈયારી રાખશો, તો જ તરશો. ૪) વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમાં જીવ સિધ્ધ કર્યા પણ ૮-૧૪ લીલોત્તરી છોડી? ડેવિડ એટનબરોએ ફિલ્મ “ધ લિવિંગ પ્લાનેટ માં માછલી આદિ અનેક જીવજંતુઓની વાતો ભેગી કરી પણ પાપથી વિરામનપામ્યો. ચોર ચોરી કરી જાય નગોપીચંદ કહે “હું જાણું છુ એ જાગવામાં ધૂળ પડી કહેવાય. ભક્ષ્યાભઢ્ય સમજ્યા પછી અભક્ષ્ય ભોજન બંધ કરતા જાઓ પછી જુઓ આરાધનામાં કેવો જોમ જોશ અને જુસ્સો આવે છે. ૫) બજારની વસ્તુ છે હજાર, પણ અજયણાનું પાપ છે બેશુમાર, ૬) મલ્ટીનેશનલની હજારો કંપનીઓ આવી રહી છે, ટી.વી. પર લવલી લવલી લલનાઓ તમને અભક્ષ્ય ખાણી-પાણી માટે લલચાવશે. મન ઠેકાણે રાખજો નહિંતરડાગલી ચસકી જશેને ડુબી જશો. ગુડનાઈટ... ૪૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005647
Book TitleGood Night
Original Sutra AuthorN/A
AuthorRashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy