SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન :૨૪:- જન્મ-મરણના સૂતકમાં પ્રભુ પૂજા ક્યારે કરી શકે ? ઉત્તર:- જન્મ-મરણ સૂતકમાં પણ સ્નાન કર્યા પછી પ્રતિમાની પૂજાનો નિષેધ જાણ્યો નથી એટલે પૂજા ન થાય તેમ જાણ્યું નથી. (સેન પ્રશ્ન તથા ચાલો જિનાલય જઈએ પૃષ્ઠ - ૨૦૮) સૂતના દિવસોમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના પિતા શ્રી સિદ્ધાર્થ રાજાએ સેંકડો-હજારો અને લાખો શ્રી જિનપ્રતિમાઓની પૂજા કરી અને કરાવી હતી. ...પરમ પવિત્ર શ્રી કલ્પસૂત્ર સટીક જે ઘરે પુત્ર-પુત્રીનો જન્મ થાય છે તે ઘરનાં પાણીથી દેવપૂજા ન થાય તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી. ..શ્રી હીર પ્રશ્નોત્તર मानव को ऐसा नियम होना चाहिये कि मैं पूजा किये बिना कोई भी वस्तु, यहाँ तक कि पानी भी नहीं, तो उस मानव को सूतक व पातक कुछ भी नहीं है। પંચેન્દ્રિય મૃતકને સ્પર્શ કરનાર ગૃહસ્થ સ્નાન કરે એટલે શુદ્ધ થઈ જાય. શ્રી આચાર દિનકર જન્મનું સૂતક ફક્ત માતા-પિતાને જ હોય છે. માતાને દશ દિવસ અને પિતા તો સ્નાન કરે એટલે શુદ્ધ થઈ જાય છે. ચાંડાલ, રજસ્વલા સ્ત્રી, પતિત, પ્રસૂતાબહેન, મૃતક અને મૃતકને અડનારઆમાંથી કોઈનો પણ સ્પર્શથઈ જાય તો સ્નાન કરવાથી શુદ્ધિ થઈ જાય છે. મનુસ્મૃતિ - ઉપકરણ શુદ્ધિ ... ઉત્તમમાં ઉત્તમ ઉપકરણો વાપરવા જોઇએ. શક્ય હોય તો હીરા જડેલા સોનાના તમામ ઉપકરણો, અથવા ચાંદીના છેવટે પિત્તલના. આજે દેરાસરોમાં જર્મનસિલવરનો પ્રચાર વધ્યો છે. એમાં નિકલ નામનું અશુદ્ધ તત્ત્વમિક્સ થાય છે. એ નવપરાય તો સારું. પૂજાની ડબ્બી પણ પ્લાસ્ટિક, એલ્યુમેનિયમ, સ્ટીલ કરતાં ચાંદી કે પિત્તલ આદિની યોગ્ય ગણાય. આભૂષણો પહેરીને દ્ધ જેવા બનીને પૂજા કરવા જવું. ક્યારેક ઉત્તમભાવો જાગી જાય તો પહેરેલા આભૂષણો પાણીમાં ધોઈને તુરત પ્રભુને ચઢાવી શકાય. ગુડનાઈટ... ૩૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005647
Book TitleGood Night
Original Sutra AuthorN/A
AuthorRashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy