SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ . ઘર દેરાસર.... લાભો: ઘરમાં પૂજાનું સ્થાન અવશ્ય હોવું જોઈએ. એના વગર વાસ્તુ અધુરી છે. ઘરના બધા મેમ્બરો પૂજા કરે દર્શન કરે, નાનાથી મોટા તમામ વ્યક્તિઓ અનેક પાપોથી અટકે છે. કારણકે મનમાં ભાવ જાગે છે “આપણા ઘરમાં ઘર દેરાસર છે, આપણાથી આવું ન કરાય” નાના છોકરાઓ પણ સહેજે સંસ્કારી બની જાય. • ઘરમાં બનતી સારી વસ્તુ, સીઝનની પહેલી કેરી ભગવાન આગળ ધરવાનું મન થાય. • અંગત ગાડી, અંગત ઓફિસ, અંગતફ્લેટ હોય તો અંગતદેરાસર કેમ નહિ? • જાતજાતના ટેન્શનથી ઘેરાયેલ માણસને રિલેક્સ થવાનું સ્થાન ઘર દેરાસર) • ક્યારેક ચતુર્વિધ સંઘનાપગલા થઇ જાય, ક્યારેકછારીપાલકસંઘની પધરામણી થઇ જાય, આ ભગવંતો, સાધુ-સાધ્વી ભગવંતો જેવા મહાન પુણ્યશાળી આત્માઓના પગલા અનાયાસે વગરબોલાયે થઇ જાય. પાંચ તિથિ પદેરાસર અવશ્ય જવાનું હોય છે, માટે અનેક ગુરૂભગવંતોનો લાભ મળી જાય. • રાજા રાવણ, ઉદાયન રાજા, પેથડશાહ આદિના ઘર દેરાસરો પ્રસિધ્ધ છે. (પરમાત્માની સાથે કાલી – ઘેલી વાતો કરવી હોય, રાવણ મંદોદરીની જેમ મન મૂકીને નાચવું હોય, પાપના પશ્ચાતાપમાં પોક મુકીને રડવું હોય તો તે માટે ઘર દેરાસર જરૂરી છે. શ્રાવક કર્તવ્યમાં એક ઘર દેરાસર અને યથાશક્તિ એક નાનકડી મૂર્તિ પણ ભરાવવી જોઇએ. શક્તિ હોય તો હીરા, માણેક, સ્ફટિક, સોના, ચાંદીની મૂર્તિ ભરાવે. છેવટે આરસની મૂર્તિમાં જેટલા પરમાણું એટલા વરસના દૈવિક સુખની પ્રાપ્તિ થાય છે.) આશાતના થતી હોય તો આશાતના ને દૂર કરો, ભગવાન ને કેમ દૂર કરો છો ? દા.ત. નાક ઉપર માખી બેસે તો, માખીને ઉડડાય, પરંતુ નાક ન કપાય..વડોદરાની હોટલ એમ્બેસેડરમાં ચોથા માળે મુનિસુવ્રતસ્વા. ના ઘરદેરાસરમાં કાચબો ભક્તિ કરે છે. વિશાખાપટ્ટનમ (પં. રશ્મિરત્ન વિ.ની જન્મભૂમિ) ઘર દેરાસરથી વિકાસ પામ્યું. સાબરમતીનો સંઘ ઘર દેરાસરથી જ વિકાસ પામ્યો છે. ગુડનાઈટ.. ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005647
Book TitleGood Night
Original Sutra AuthorN/A
AuthorRashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy