SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૪) ઘરના બારસાખ ઉપર મંગલમૂર્તિ અને અષ્ટમંગલ હોવા જોઇએ. બીજો પણ ફાયદો છે. આ જૈનનું ઘર છે, તેમ ઓળખાઇ જાય. જેમ મુસ્લીમો ચાંદ રાખે, અજેનો ગણપતિ રાખે તેમ ૫) વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ મળે છે કે પૂર્વ દ્વાર ઉત્તમ, પશ્ચિમ દ્વાર શુભ, ઉત્તર દ્વારા કુબેર દ્વાર ધન-વૈભવ, દક્ષિણ દ્વાર નિષેધ, દક્ષિણ દ્વારા ઘરમાં અશાંતિ ઊભી કરે છે. (સામે રાજમાર્ગ ન હોય તો.) ૬) ઘરમાં વધારે દ્વાર નહિ હોવા જોઈએ. નહીં તો શીલની સુરક્ષા ને ખતરો રહે છે. ૭) વૃક્ષ અને જિનમંદિરના ધ્વજની છાયા દિવસના બીજા-ત્રીજા પ્રહર (સવારે ૯ થી સાંજે ૪) માં ઘર પર પડવી ન જોઈએ. બાકી સમય ધ્વજની છાયા શુભ છે. (વાસ્તુસાર ગા. ૧૪૩) ૮) માર્થાનુસારીના ૩૫ ગુણોમાં ઉચિત ઘરનું વિધાનક્યું છે. ઘરની આસપાસ સમાન ધર્મ-સમાન સંસ્કારવાળા કુટુંબો હોવા જોઈએ. જેથી બાળકોના સંસ્કાર બગડે નહિ. સારા પાડોશીથી સંગમ શાલિભદ્ર બન્યો. અને ખરાબ પાડોશીના કારણે શેઠ મમ્મણ સાતમી નરકે ગયો. સંયુક્ત કુટુંબનો મોટો ફાયદોઃ વૃદ્ધ માતા-પિતાની સેવા થાય. બાળકોનું સંસ્કારણ થાય. ઘરની તમામ મર્યાદાઓ સાચવી શકાય. ૫ જૈન શાસ્ત્રાનુસાર ગૃહ વાસ્તુ શિલ્પ (ચાલુ) ૧૧) • આરંભ સમારંભ ઘણાં થાય અને તીવ્ર આસક્તિ પોષાય માટે શ્રાવક જરૂરત પડે તો તૈયાર ઘર લે, નવું બંધાવે નહિ. . • પહેલા કડિયો મકાનની પહેલી ઈટ માલિક પાસે મૂકાવતા જેથી પાપ માલિકને લાગે. • પહેલા ઘરના દરવાજા નાના હતા, દિલ મોટા હતા. • માથા ઉપર પાઘડીનું હેલમેટ હતું, જેથી માથું SAFE રહેતું. • પહેલા ઝઘડો થયો સાસુ-વહુનો એક નવું તીર્થ ઉભુ થયું કાવી. આજે ઝઘડો થાય તો શું ઉભું થાય? નવું ઘર...! Jain Education International ગુડનાઈટ... ૯ For Sersonal & Private Use Only www.jainelibrary.org
SR No.005647
Book TitleGood Night
Original Sutra AuthorN/A
AuthorRashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy