SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ અહિંસાની સાધનાની હરેક બાજુમાં આપણે ભાગ લઈએ. અને તેના નવીન વિકાસને અપનાવી અહિંસક સંસ્કારના સ્તરને આપણે ઊંચે લઈ જઈએ પરંતુ આ કામ કેવળ ચર્ચાયા મૌખિક સહાનુભૂતિથી કદી સિદ્ધ થઈ શકે નહિ. તેના માટે જે એક તત્ત્વનો વિકાસ કરવો જરૂરી છે તે તત્ત્વ છે અપરિગ્રહ યા પરિગ્રહ પરિમાણ વ્રત. - આ વ્રત ઉપર જૈન પરંપરા એટલો બધો ભાર દેતી આવી છે કે તેના વિના અહિંસાના પાલનને સર્વથા અસંભવ સુધ્ધાં માનવામાં આવેલ છે. ત્યાગીવર્ગ સ્વીકૃત અપરિગ્રહની પ્રતિજ્ઞાનું સાચા અર્થમાં ત્યાં સુધી કદી પાલન ન કરી શકે જ્યાં સુધી તેઓ પોતાના જીવનને સ્વાવલંબી અને સાદું ન બનાવે. પુરાણી રૂઢિઓના ચક્કરમાં પડીને ત્યાગ અને સાદગીના નામે બીજાઓના શ્રમનું અધિકાધિક ફળ ભોગવવાની જે પ્રથા રૂઢ થઈ ગઈ છે તેને ગાંધીજીના જીવિત ઉદાહરણ દ્વારા દૂર કરવામાં અને મહાવીરની સ્વાવલંબી સાચી જીવનપ્રથાને અપનાવવામાં આજ કોઈ સંકોચ ન હોવો જોઈએ. આ જ અપરિગ્રહવ્રતનું તાત્પર્ય છે. જૈન પરંપરામાં ગૃહસ્થવર્ગ પરિગ્રહપરિમાણવ્રત પર અર્થાત સ્વતન્ત્ર ઇચ્છાપૂર્વક પરિગ્રહની મર્યાદાને સંકુચિત કરવાના સંકલ્પ પર ભાર દેતો આવ્યો છે. પરંતુ તે વ્રતની યથાર્થ આવશ્યકતા અને તેનું મૂલ્ય જેટલું આજ છે તેટલું ભાગ્યે જ ભૂતકાળમાં રહ્યું હશે. આજનો વિશ્વવ્યાપી સંઘર્ષ કેવળ પરિગ્રહમૂલક છે. પરિગ્રહના મૂળમાં લોભવૃત્તિ જ કામ કરે છે. આ વૃત્તિ ઉપર ઐચ્છિક અંકુશ યા નિયંત્રણ રાખ્યા વિના ન તો વ્યક્તિનો ઉદ્ધાર છે, ન સમાજનો કે ન રાષ્ટ્રનો. લોભવૃત્તિ અનિયત્રિત હોવાના કારણે જ દેશની અંદર તથા આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ખેંચતાણ અને યુદ્ધની આશંકા છે જેના નિવારણનો ઉપાય વિચારવા માટે પ્રસ્તુત સમેલન ભરાઈ રહ્યું છે. તેથી જૈન પરંપરાનું પ્રથમ અને સર્વપ્રથમ કર્તવ્ય તો એ જ છે કે તે પરિગ્રહપરિમાણવ્રતનો આધુનિક દષ્ટિએ વિકાસ કરે. સામાજિક, રાજકીય તથા આર્થિક સમસ્યાઓને ઉકેલવાનો જો કોઈ કાર્યસાધક અહિંસક ઇલાજ હોય તો તે છે ઐચ્છિક પરિગ્રહવ્રત યા પરિગ્રહ પરિમાણવ્રત જ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005646
Book TitleBharatni Yogvidya ane Jivan ma Dharm
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy