SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભક્તની પ્રતિભા કે, તેઓ, સ્વ-સંપ્રદાયના મોહથી આગ્રહી ઉપદેશ કરી, કાલના ફેરકારનું લક્ષ રાખતા નથી; પોતાને પ્રભુના અવતાર તરીકે કહેવડાવવાની ઇચ્છાથી પોતાનું ખરું કર્તવ્ય વારંવાર ભૂલી જાય છે, અને જે શક્તિ પિતામાં ન હોય છતાં તેને દાવો કરવાનો ગર્વ રાખે છે. તેનાં પાછલાં વર્ષોમાં એ તે સ્પષ્ટ જણાતું હતું કે, શ્રીમદ્ પોતાના જીવનને સંદેશ ધર્મગુરુ તરીકે આપવાની તૈયારી કરતા હતા. પરંતુ દુર્ભાગ્યે મરણે વચમાં પડી તે સંદેશ પૂર્ણ થતાં અટકાવ્યો છે. છતાં મુંબઈ ઇલાકાના જૈનમાં એક નવીન જીવન ઉપજાવવામાં શ્રીમદ્ વિજય પામ્યા છે. સાધારણ રીતે એવું મનાય છે કે, જો તેઓ વધુ જીવ્યા હોત તો હાલના જૈનધર્મની સંપૂર્ણ દર્શનની ક્રાંતિ કરી હતી, અને મહાન મહાવીરે જે વાસ્તવિક ઉપદેશ આપ્યો છે, તે ઉપદેશ લોકોને શીખવ્યો હોત. જૈનધર્મના અનેક ગચ્છભેદો કાઢી નાંખી, મહાવીરે સ્થાપેલો એક સામાન્ય ધર્મ સ્થાપવાને તેઓને વિચાર હતો. આવી ઉપયોગી જિંદગી અપકવ વયે ઉપયોગમાં આવતી બંધ પડી, તેથી દેશને ચોખે ગેરલાભ થયો છે.” અહીં મને એમ વિચાર આવે છે કે, જો શ્રીમદ્ લાંબું આયુષ્ય પામ્યા હતા, અને તેમના આત્મબંધુ ગાંધીજી ૧૯૧૪ બાદ હિંદમાં આવ્યા તે કાળે એ બે મહાજનો સાથે આવ્યા ને વર્યા હોત, તો હિંદમાં કેવો ઇતિહાસ જોવા મળત વારુ! પરંતુ ભગવાન એને રહે અને તેવા પોતાના (માનવને અજ્ઞેય જ રહેતા એવા) સૃષ્ટિ-સંકેતથી જ, તેના આવા પુરુષોને પોતાના દિવ્ય સાધન રૂપે વાપરે છે; અને તે પુરુષો પણ તે પૂરતા તેની યોગમાયાથી કે સુવર્ણમય પાત્રથી ઢંકાયેલા સત્યમાં જ રમે છે – ઈશ્વરી સંકેતનો મહત્ત્વાગ્રહ જીવનમાં લઈને ઝૂઝે છે. શ્રીમદ્ગી અવધાનશક્તિ અને તે વિષેનો ભાવ એનો દાખલો ગણાય. અથવા ગાંધીજીના જીવનમાં જોઈએ તે, એ પોતાના અંતકાળે જ પામ્યા કે, હિંદની પ્રજા તેમણે બતાવેલી સબળની અહિંસાથી નહીં, પણ વર્જ્ય ગણેલી એવી નિર્બળની અહિંસાથી ચાલતી હતી. જીવનભર આવું માયાવરણનું અજ્ઞાન રહ્યું તેથી જ તે હિંદ સ્વરાજને માટે અવતારી ઢબે ઝૂઝી શકયા, અને છેવટે જ્ઞાન પામતાં વિદાય થયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy