SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ જૈનધર્મ સુધારણા શ્રી. રાયચંદભાઈએ જૈનધર્મની પરિસ્થિતિ વિષે જે જોયું,– જે પરથી તેમનામાં તેના સુધારક તરીકે કામ કરવાની ઊર્મિ જાગી, - તે બાબતમાં “રાજબોધ'ના સંપાદક શ્રી. લખમજી હીરજી મૈશેરી (તેની પ્રસ્તાવનામાં) નીચે પ્રમાણે લખે છે: “શ્રીમાન રાજચંદ્ર જ્યારે સમાજ સમક્ષ સન્મુખ આવ્યા, ત્યારે જૈન સમાજની સ્થિતિ અનેક પ્રકારના મતમતાંતરોમાં મશગૂલ હતી. લોકોને એવું મનાવવામાં આવ્યું હતું કે, પોતે જે કુળમાં જન્મ્યા હોઈએ, તે કુળના સંપ્રદાયના ધર્મ-વિચારો ગમે તેવા હોય, પરંતુ તેને વળગી રહેવામાં જ કલ્યાણ છે. આ ઇલાકાની તરફમાં જૈનના બે મુખ્ય ગચ્છમાં અનેક અલ્પ અલ્પ બાબતમાં વિખવાદ ચાલ્યા કરતો હતો. સં. ૧૯૪૩ની સાલ;- કે જે સાલની લગભગનાં વર્ષો “સમકિત સાર’ અને “સમકિત શહોદ્ધાર” રૂપી કલેશોનાં સ્થાન હતાં, ત્યારે માત્ર ૧૮ વર્ષની વયે, શ્રીમદ્ રાજચંદ્ર જૈન માર્ગની દશાનું નીચે પ્રમાણે અવલોકન કરી શક્યા હતા : - ““જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદાગ્રંથીથી જંજાળ માંડી બેઠા છે. મહાવીર ભગવાનના ભણીથી. ઉપાસક વર્ગનું લક્ષ ગયું; માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા; જેનું પરિણામ દૃષ્ટિગોચર છે. અંગ્રેજોના શોધમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ અબજની ગણાઈ છે; તેમાં સર્વ ગચ્છની મળીને જૈન પ્રજા માત્ર ૨૦ લાખ (છેલ્લા વસતિપત્રક પ્રમાણે લગભગ ૧૩ લાખની ૭૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy