SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ . નવધર્મ પ્રવર્તનને મનેરથ જીવાત્મ ના અધ્યાત્મજીવનની ગૂઢ ગતિ જાણે છે, તેઓ એમાં કદાચ સૂક્ષ્મ સંવાદિતા કે એક-અધ્યાત્મ-સૂત્રતા ભાળી શકે. કવિ જે પત્રમાં મા નવધર્મપ્રવર્તનની પુરુષાર્થ-વસ્તુ અને તેના પરાક્રમને વર્ણવે છે, તેમાં જ તે સહજભાવે પોતાના ભાવી લગ્નની વાત પણ કરે છે. અને ગયા પ્રકરણમાં આપણે એ જ જોતા હતા કે, કવિ દંભરહિત સરળ પુરુષ હતા શ્રી. જીવાભાઈ અમીચંદ કહે છે એમ જેવા હો તેવા જ દેખાએ; ને જેવા દેખાવા ધારતા હો, તેવા થાઓ.” “આપણે ન હોઈએ તેવા દેખાવાનો યત્ન નહિ કરવો.” અને તેનો દાખલો કવિના જીવનમાંથી આપતાં, તે ઉપરની જ કવિની પ્રતિભાના વિષયને લઈને કહે છે, તે વસ્તુ એક નોખા પ્રકરણ રૂપે જોવા જેવું કવિ-જીવનનું પાસું છે. તે લખે છે.: શ્રીમાનના જીવનવ્યવહારને એકાદ પ્રસંગ, તેમની જેવા હોઈએ તેવા દેખાવાની નિખાલસ વૃત્તિને ચિતાર આપી શકશે. મતમતાંતરોને લીધે જૈન માર્ગની છિન્નભિન્ન સ્થિતિ થઈ ગઈ છે. તેને પુનરુદ્ધારા કરવાની પોતાની ઇચ્છા હતી, અને તે ઇચ્છા પાર પાડવાને કેવા સામર્થ્યની જરૂર છે, કેવાં કેવાં વિદનો આડે આવે તેમ છે, તે સઘળાનો સંપૂર્ણ વિચાર તેમણે કર્યો હતો; ને વિદનની પ્રબળતા છતાં, પરમ કારુણ્ય સ્વભાવથી અને તે સદ્ધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી તેમણે તે કામ હાથમાં લેવા ધાર્યું. પરંતુ તે જ વખતે તેમણે પોતાના સામર્થ્ય પર નજર નાંખી અને આત્મનિરીક્ષણથી પોતાના સામર્થ્યમાં કાંઈક ઊણપ પિતાને જણાઈ. આથી નિશ્ચય કીધો કે, સ્વરૂપાનુસંધાન પામ્યા પછી સર્વ સંગ પરિત્યાગ કરવો, ને સર્વ-સંગ-પરિત્યાગ પણ ત્યારે જ કરવો કે જ્યારે સર્વ પ્રકારની સાંસારિક સંપત્તિએ જાતે મેળવેલી હોય; આ - ત્યાગ પછી જ શાસન-ઉદ્ધારનું કામ હાથમાં લેવું. તે પહેલાં, અન્ય પુરુષોની પેઠે, ઉદ્ધારક સ્વરૂપે બહાર દેખાવું નહિ. તેમને એમ લાગ્યું હતું કે, જાતે મેળવેલી અઢળક સંપત્તિને ત્યાગ દુનિયાને અતિ દિવ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy