SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 1. શાની ભકતની પ્રતિભા શ્રીએ રચ્યો. આ “ભાવનાબોધ"નું જ ઉપનામ “વૈરાગ્યબોધિની” માનીએ તેય વાંધો નહીં. યોગશાસ્ત્ર કહે છે કે, જીવનમાં ભાવનાની સંશુદ્ધિ કરવામાં તેની . ચાવી રૂપ કેન્દ્રભાવ હોય તો તે ચિત્તપ્રસાદ-પૂર્વક “સંયમ” કેળવવો. એ છે. અહીં “સંયમને પારિભાષિક અર્થ પણ સમજવો જોઈએ. સંયમ એટલે ધારણા, ધ્યાન, સમાધિ; ચિત્તને સંશુદ્ધ કરીને સ્વસ્થ સ્થિર બુદ્ધિથી તવાવબોધ પામવાનું સાધન એ ત્રણ વસ્તુઓ છે. અને બુદ્ધિને મેહ-અજ્ઞાનમાં નાંખનાર મહાકારણ કામક્રોધ છે – રાગદ્વેષ છે, તંદ્રમોહ છે. તેથી સંયમનું રહસ્ય પોતાના અંતરમાં વૈરાગ્યભાવની કેળવણી કરવી એ જ બને છે. આથી “ભાવનાબોધ’ વૈરાગ્યની. કેળવણીને માટે માર્ગદર્શક બાર ભાવનાઓ સમજાવે છે. સરળ શૈલીમાં એમ કરીને, કવિએ વૈરાગ્યના અનુશીલનનો ઊંડો અભ્યાસ કરવાને નકશો જ જાણે આલેખ્યો છે. તેના ઉપોદઘાતમાં શરૂમાં જે પહેલું વાકય લખે છે –“ ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશે છતાં, ઉજજવળ આત્માને સ્વત:વેગ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે.”...સઘળાં પ્રાણીઓ, માનવીઓ અને દેવદાનવીઓ એ સઘળાંની સ્વાભાવિક ઇચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. જેથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયા રહે છે, પરંતુ વિવેકબુદ્ધિના ઉદય વિના તેમાં વિશ્વમ પામે છે....” અને વૈરાગ્યમણિ રાજર્ષિ “યોગીંદ્ર ભર્તુહરિને પેલો મહાક– ભેગે રોગભય, કુલે યુતિભય, વિને નૃપાલા ભયમ્ માને દૈન્યભય, બલે રિપુભય, રૂપે તરુણ્યા ભયમ્ શાએ વાદભર્ય, ગુણે ખલભય, કાયે કૃતાન્તા ભયમ્ સર્વ વસ્તુ ભયાન્વિત મુવિ ખૂણામ, : !' : વૈરાગ્યમેવાભયમ I .• Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy