SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભકતની પ્રતિભા મિત્રતા ઈચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ, અને પેલાએ (એટલે કે, વૈષ્ણવધર્મમાં) પણ રહી.” આમ તેમનાં ૧૩ વર્ષને આત્મ-ચિતાર રજૂ કરીને, શ્રીમદ્ કામકાજની દુનિયાના જીવનમાં પ્રવેશ કરે છે: “પછી હું મારા પિતાની દુકાને બેસતો; અને મારા અક્ષરની છટાથી કચ્છ-દરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા ત્યારે ત્યાં જતો.”... આટલાથી આ “વયચર્યા અને તેમના પિતાને લેખ પૂરો થાય છે. તેનો તાંતણો આગળ શોધવાને માટે, તેમની સાધનાનું આરસી જેવું દર્શન આપતાં, તેમનાં તે પછીના જીવનનાં વર્ષોનાં લખાણો ફેફસવાં જોઈએ. તેમના તે લેખમાં અંતે એક વસ્તુ, તેને આગળને તાર પકડવામાં નિદર્શક કહેવાય એવી, તે લખે છે - (દુકાને બેસતો ત્યારે) “કોઈને મેં ઓછો અધિકો ભાવ કહ્યા નથી, કે કોઈને મેં ઓછુંઅધિકે તળી દીધું નથી, એ મને ચોકસ સાંભરે છે.” એક વણિકને માટે વ્યવહાર-રોજગારમાં આવી શુદ્ધતા ને શુચિતા વિરલ ગુણ ગણાય; તે એમને નાનપણથી સિદ્ધ છે. અને વ્યવહારશુદ્ધિના નીતિધર્મને એ ગુણ રાયચંદભાઈમાં નાની વયેથી સહજસંસિદ્ધ હતો, એ એમની વિભૂતિમત્તાનું નોંધપાત્ર લક્ષણ છે. મુમુક્ષાના પાથેયને માટે પ્રારંભિક દૈવી સંપદા જ એ છે, એમ જાણીએ; અને સર્વ ધર્મ-શાસ્ત્રો તેમના પ્રણીત નીતિધર્મના નિચોડ રૂપે આટલું તો બતાવે છે. પવિત્ર અને સુખી ગૃહસ્થજીવનને માટે આ તે વિહિત નીતિધર્મ છે. મુમુક્ષાનો ચાહક એથી આગળ વધવા માગનારો જિજ્ઞાસુ ગૃહસ્થ છે, અને રાયચંદભાઈ તેવા હતા, તે આપણે આગળનાં પ્રકરણોમાં જોઈ આવ્યા. નીચેનું આ દૃષ્ટાન્ત, એમના ઝવેરી તરીકેના વેપારી જીવનકાળ દરમિયાનનું, તે વિશે લાક્ષણિક હેઈ, નેધપાત્ર છે: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy