SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભકતની પ્રતિભા છે. તેમાંથી જે એમના અધ્યાત્મ-જીવનવિકાસની કમઢોણી નિહાળી શકાય છે, તે જોઈએ: નાનપણનાં વર્ષો જોતાં. મહાકાંક્ષાનો ગગનવિહાર સેવતો એક હોનહાર બાળક આ છે, એમ એમાંથી મળે છે: “સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી. એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે, વિચિત્ર ક૯૫ના – કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજયા વગર – મારા આત્મામાં થયા કરતી હતી. રમત-ગમતમાં પણ વિજ્ય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી.” પોતાની સામાન્ય શરીર-પ્રકૃતિ અંગે તે કહે છે – “ હાડ ગરીબ હતું.” અને ત્યારે બાળવયની મુગ્ધાવસ્થા હોઈને, તે કહે છે, “અત્યારનું (એટલે કે, ૨૩ મે વરસે છે તેવું) વિવેકી જ્ઞાન તે વયમાં હોત તો મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહીં. એવી નિરપરાધી દશા હેવાથી પુનઃ પુન: તે સાંભરે છે.” - સાત વર્ષની બાલ્યાવસ્થા વિષે આમ વર્ણવીને, “પછીનાં અગિયાર વર્ષ સુધીને કાળ કેળવણી લેવામાં હો”, તેને મમાંશ નિરૂપતાં તે બેએક વસ્તુઓ પોતાની પ્રતિભાની નોંધે છે – “ સ્મૃતિ એવી બળવત્તર હતી, કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યમાં આ કાળે આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતા. વાત-વહ્યો, રમતિયાળ અને આનંદી હતે ...તે વેળા પ્રીતિ – સરળ વાત્સલ્યતા મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઇરછત, સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકોમાં કોઈ પણ પ્રકારની જુદાઈના અંકુરો જો કે મારું અંત:કરણ રડી પડતું. તે વેળા કલિપત વાતો કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી....” “ તેમ જ અનેક પ્રકારના બોધગ્રંથ – નાના – આડાઅવળા મેં જોયા હતા; જે પ્રાયે હજી સ્મૃતિમાં રહ્યા છે. ત્યાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy